ચેન્નાઈ સુપર કિંગ્સનાં બેટિંગ કોચ માઈક હસી અને બોલર કોચ લક્ષ્મીપતી બાલાજીને દિલ્હીથી ચેન્નાઈ લઈ જવામાં આવ્યા છે, કારણકે તેઓ કોરોનામુક્ત થયા છે.
બાયો બબલમાં આવી પહોંચ્યો કોરોના
ચાર્ટડ પ્લેનમાં ખેલાડીઓ પહોંચશે પોતાના દેશ
કેપ્ટન ધોની અન્ય ખેલાડીઓને ઘરે મોકલી પોતાના ઘરે જશે
આ જાણકારી ફ્રેન્ચાઈઝીના એક ઉચ્ચ અધિકારીએ આપી હતી. આ બંને એવા સભ્યો છે જે બાયો બબલમાં સુરક્ષિત રીતે રહેતા હોવા છતાંય કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ મંગળવારે જ આઈપીએલને મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સના અધિકારીનું નિવેદન
ચેન્નાઈ સુપર કિંગ્સનાં અધિકારીએ જણાવ્યું કે "અમે હસી અને બાલાજીને એર એમ્બ્યુલેન્સ દ્વારા ચેન્નાઈ લાવવાનો નિર્ણય એ માટે લીધો કારણકે અમારો સંપર્ક બન્યો રહે અને જરૂરત સમયે અમે સારી મેડિકલ સુવિધાઓ પૂરી પાડી શકીએ.
ચાર્ટડ પ્લેનમાં ખેલાડીઓ પહોંચશે પોતાના દેશ
તેમણે વધુમાં કહ્યું કે બંનેમાં હવે લક્ષણો નથી દેખાઈ રહ્યા અને તેમની તબિયત સારી છે. સાથે જ હસીને પોતાના દેશમાં પરત ફરવા માટે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે. સાથે જ જણાવ્યું કે "હસીએ રાહ જોવી પડશે અને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તે ભારત છોડી શકશે. જ્યારે તેઓ એકદમ સ્વસ્થ થશે ત્યારે અમે ચાર્ટડ પ્લેનની પણ વ્યવસ્થા કરીશું. હસી સિવાયનાં બીજા ઓસ્ટ્રેલિયન પ્લેયર કે જે આઈપીએલમાં હતા તેઓ ગુરુવારે માલદીવ જવા નીકળી ગયા છે. અને ઓસ્ટ્રેલિયા જવાની અનુમતી મળતા જ તેઓ ત્યાંથી રવાના થશે. csk નાં અધિકારીએ જણાવ્યું કે ફ્રેન્ચાઇઝીએ ટીમના વિદેશી ખેલાડીઓને ચાર્ટડ પ્લેન દ્વારા મોકલવાની વ્યવસ્થા કરી છે.
કેપ્ટન ધોની અન્ય ખેલાડીઓને ઘરે મોકલી પોતાના ઘરે જશે
ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટીમના બધા જ ખેલાડીઓને પોતાના શહેર રવાના કર્યા બાદ જ પોતાના ઘરે જશે. આઈપીએલ 2021ને થોડા સમય પૂરતી રોકી દેવામાં આવી છે કારણકે ઘણી સુરક્ષા હોવા છતાંય ચાર ખેલાડી કોરોનાનો ભોગ બન્યા હતા. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ઋદ્ધિમાન સાહા, દિલ્હી કેપિટલ્સનાં અમિત મિશ્રા, અને કોલકત્તા નાઈટ રાઈડર્સનાં વરુણ ચક્રવતી, સંદીપ વારીયરનો સમાવેશ થાય છે.