ઝારખંડમાં એક પતિએ સુહાગરાતે પત્ની સમક્ષ એક શરત મૂકી હતી, જે કદાચ પત્ની માટે પૂરી કરવી મુશ્કેલ હતી. પરિણામે ઘરસંસાર શરુ થતા પહેલા જ ઉજડી ગયો.
સુહાગરાતે MBA પતિએ પત્ની પાસે મૂકી શરત
પત્નીએ IAS બનવું પડશે
IAS ન બને ત્યાં સુધી ઘરસંસાર નહીં
MBA પતિએ સુહાગરાતે પત્નીને કહ્યું કે મારી સાથે ઘરસંસાર માંડવો હોય તો તારે પરીક્ષા પાસ કરીને IAS બનવું પડશે જ્યાં સુધી તુ આ IAS નહીં બને ત્યાં સુધી હું ઘરસંસાર માંડીશ નહીં. સુહાગરાતે જ પતિની આવી શરત સાંભળીને પત્ની આભી બની ગઈ, તેણે પતિને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ એકનો બે ન થયો અને પોતાની વાતે અડગ રહ્યો. આખરે કંટાળીને પત્નીએ વાત પડતી મૂકી અને સુઈ ગઈ. પરંતુ ખરો ખેલ તો સવારમાં થયો, શરત જણાવીને પતિએ પત્ની સાથે બોલવાનું બંધ કરી દીધું અને તેનાથી દૂર થઈ ગયો.
સુહાગરાતે પતિએ પત્નીને કહ્યું- 2 વર્ષમાં IAS બની જા નહીંતર આપણા સંબંધો પૂરા
જમશેદપુરના સિંહભૂમના પોટકાની રહેવાશી પલ્લવી મંડળે પોતાનું દુઃખ વર્ણવતાં કહ્યું હતું કે મારા લગ્ન 18 જૂન, 2018ના રોજ પારસુદીહના જયમલ્યા મંડલ સાથે સામાજિક રીત રિવાજ અનુસાર થયા હતા. પલ્લવીએ કહ્યું કે સુહાગરાતે પતિએ મને કહ્યું કે તારે બે વર્ષની અંદર આઈએએસ બનવું પડશે તો જ મારી સાથે રહી શકીશ. પલ્લવીએ આરોપ લગાવ્યો હતો કે તે તેના માતાપિતાની ગરિમા અને સમાજના ડરથી અંદર પતિ, સાસુ જેઠ-જેઠાણીના અત્યાચારો સહન કરતી રહી હતી. ધીરજનો ડેમ તૂટી જતાં આખરે પલ્લવીને પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું.
પલ્લવીએ ધુની પતિની સામે ફરિયાદ કરી
પતિની શરત પોતે પૂરી કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી આખરે પલ્લવીએ કંટાળીને પતિની સામે પોલીસ ફરિયાદ કરી છે અને પોતાનો ઘરસંસાર બચાવી લેવાની અપીલ કરી છે. પોલીસે પણ આ કેસમાં હસ્તક્ષેપ કરીને પતિને સમજાવવાની કોશિશ કરી છે.