વસંત ઋતુમાં પતિ-પત્નીના સંબધમાં નવી મિઠાશ આવી જતી હોય છે. આ 5 કામ કરી લેવાથી સંબંધોમાં આવેલુ ખાલીપણુ પણ ભરાઇ જશે.
વસંત પંચમીના દિવસે કરો પૂજા
કામદેવ-રતિની પૂજા કરવી જરૂરી
સંબંધોમાં ખટાશ આવી ગઇ છે તો કરો પૂજા?
વસંત ઋતુ અને કામદેવ વચ્ચે વિશેષ સંબંધો હોય છે માટે વસંત પંચમીના દિવસે કામદેવ અને તેમની પત્ની રતિની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે જો પતિ અને પત્ની મળીને કામદેવની ઉપાસના કરે તો તેમના સંબંધમાં મિઠાશ ઓર વધી જાય છે. કામદેવને લઇને પૌરાણિક માન્યતા ચાલી આવે છે કે જો કામદેવ ન હોય તો પ્રાણીઓ વચ્ચે એકબીજા માટે પ્રેમ સમાપ્ત થઇ જશે અને સૃષ્ટિ આગળ નહી વધી શકે. માટે વસંત ઋતુના દેવતા કામદેવને માનવામાં આવે છે.
કામદેવનું ફૂલોનું ધનુષ
પૌરાણિક માન્યતા અનુસાર એવુ માનવામાં આવે છે કે તેમની પાસે એક વિશેષ ધનુષ છે જે ફૂલોથી બનેલું છે. કામદેવ આ ધનુષથી કામરૂપી તિર છોડે છે અને તેનાથી કોઇ બચી શકતું નથી. કામદેવનું આ બાણ સીધુ હ્રદય પર વાર કરે છે જેનાથી મનુષ્યની અંતર કામ ભાવ પેદા થાય છે. કામદેવની પત્ની રતિ પણ કામની દેવી માનવામાં આવે છે. સ્ત્રી-પુરુષ આકર્ષણમાં કામદેવ અને તેમની પત્ની રતિનું મહત્વનું યોગદાન રહેલુ છે. વસંત ઋતુના આગમન પર આ 5 કાર્ય કરવાથી સંબંધો મધુર રહેશે.
આવી રીતે કરો કામદેવનું પુજન
પુરાણો અનુસાર વસંત પંચમીના અવસર પર રતિ અને કામદેવનું પુજન ગૃહસ્થ સુખમાં ચાર ચાંદ લગાવી દે છે. વસંત પંચમી પર પીળુ કપડુ પાથરી તેમાં ચોખાથી કમળ બનાવો. તેના આગળના ભાગમાં હળદર અને ગણેશજી તથા પાછળના ભાગ પર રતિ અને કામદેવ સ્થાપિત કરો. સૌથી પહેલા ગણેશજીનું પુજન કરો અને બાદમાં કામદેવ તેમજ રતિનું. તે દિવસે પતિ અને પત્નીને સંયમ રાખીને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ.
દાંપત્યજીવન સુખી નથી
જે લોકોના દાંપત્ય જીવનમાં ખટરાગ હોય તેમણે વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરીને પીળા ફૂલથી પૂજા કરવી જોઇએ. તેની સાથે જ કોઇ સુહાગણ સ્ત્રીને સુહાગની સામગ્રી ભેટ કરશો તો વૈવાહિક જીવનમાં આવી રહેલી સમસ્ત સમસ્યાઓ દુર થઇ જશે. પતિ-પત્નીએ તે દિવસે પાન જરૂર ખાવું જોઇએ.
બ્રેકઅપ
જો કોઇ વ્યક્તિનું તેના પાર્ટનર સાથે બ્રેકઅપ થઇ ગયુ હોય તો તમારા સંબંધમાં ખટાશ આવી ગઇ હોય તો નિરાશ ન થતા. વસંત પંચમીના દિવસે અનેક અલગ અલગ રંગના ફૂલો ધરાવીને કામદેવનું પૂજન કરવું જોઇએ. રતિ અને કામદેવની કૃપાથી તમારા સંબંધોમાં પહેલા જેવી મિઠાશ આવી જશે. ખાસ વાત યાદ રાખો
વસંત પંચમી પર પતિ-પત્ની માતા સરસ્વતિની સાથે જ કામદેવ-રતિ અને વિષ્ણુ-લક્ષ્મીનું પુજન કરો
લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લાલ ગુલાબ અને સફેદ ભોગથી તેમનુ પુજન કરો.
વસંત પંચમીના દિવસે રંગબેરંગી ફૂલોથી કામદેવ-રતિને પ્રસન્ન કરો.
પતિ પત્નીએ આજના દિવસે પાનનું સેવન કરવું જોઇએ.
વસંત પંચમીના દિવસે પતિ-પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ.