બિહારના ખગડિયામાં બે પરિણીત મહિલાઓને એકબીજાના પતિ સાથે પ્રેમ થયો અને પછી બંનેએ પતિની અદલાબદલી કરીને મંદિરમાં લગ્ન કરી લીધા.
મહિલાઓને એકબીજાના પતિ સાથે પ્રેમ થયો
પતિની અદલાબદલી કરીને મંદિરમાં લગ્ન કરી લીધા
બિહારના ખગડિયામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો
બિહારના ખગડિયામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ બે પરિણીત મહિલાઓએ એકબીજાના પતિ સાથે લગ્ન કરી લીધા હતા.પહેલા બંને મહિલાઓને એકબીજાના પતિ સાથે પ્રેમ થયો અને પછી બંનેએ પતિની અદલાબદલી કરીને મંદિરમાં લગ્ન કરી લીધા. આ વિચિત્ર ઘટના બાદ જિલ્લામાં આ વિશે ચર્ચા થઈ રહી છે.
પ્રેમને કોઈ બંધન નથી નડતું
આ મામલો બિહારના ખગડિયા વિસ્તારનો છે. આ કિસ્સા વિશે ત્યાંના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નીરજના લગ્ન 2009માં રૂબી દેવી સાથે થયા હતા અને લગ્નથી બંનેને ચાર બાળકો પણ છે. જો કે ત્યારબાદ રૂબીને મુકેશ કુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો અને મુકેશ પણ પરિણીત છે અને તેને બે બાળકો છે. પ્રેમને કોઈ બંધન નથી નડતું એ વાત સાચી સાબિત કરતાં થોડા દિવસો પછી બંનેએ લગ્ન કરી લીધા હતા.
રૂબીનો પતિ નીરજ આ લગ્નથી નાખુશ હતો અને તેને મુકેશ વિરુદ્ધ અપહરણનો કેસ પણ નોંધાવ્યો હતો. એક વર્ષ સુધી કેસ ચાલ્યો પણ રૂબી મુકેશ સાથે રહેતી હતી.
બદલો લેવા માટે કર્યા લગ્ન
જો કે કેસનો કોઈ નિવારો ન આવ્યો એટલે નીરજે પણ મુકેશ પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું અને ત્યારબાદ મુકેશની પત્નીનો સંપર્ક કર્યો.પહેલા બંને ફોન પર વાત કરી અને પછી બંને પ્રેમમાં પડ્યા.જે બાદ બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા.નીરજે મુકેશની પત્ની સાથે એવું જ કર્યું જે મુકેશે નીરજની પત્ની સાથે કર્યું હતું.પહેલા પ્રેમ અને પછી લગ્ન. લોકોના જણાવ્યા પ્રમાણે નીરજ એક કંપનીમાં કામ કરે છે. બીજી બાજુ મુકેશ મજૂરી કામ કરે છે.