નાગપુરની ફેમિલી કોર્ટે પોતાના પતિની બર્બરતાનો શિકાર થયેલ એક 22 વર્ષિય યુવતીના છૂટાછેડાની અરજી સ્વિકાર કરી લીધો છે. વાડી નિવાસી આ 28 વર્ષિય પતિ દારૂનો બંધાણી હતો.
પત્ની કોઈની ગુલાન નથી હોતી-કોર્ટ
પતિની હૈવાનિયતથી કોર્ટે અપાવ્યો છૂૂટકારો
પત્નીને પ્રેમ અને સન્માનની હોય છે જરૂર
નાગપુરની ફેમિલી કોર્ટે પોતાના પતિની બર્બરતાનો શિકાર થયેલ એક 22 વર્ષિય યુવતીના છૂટાછેડાની અરજી સ્વિકાર કરી લીધો છે. વાડી નિવાસી આ 28 વર્ષિય પતિ દારૂનો બંધાણી હતો.
પત્નીના હાથ પગ બાંધી શારીરિક સંબંધ બાંધતો
મે 2017માં વાનાડોંગરી નિવાસી યુવતી સાથે તેના લગ્ન થયા હતા. પત્નીનો આરોપ છે કે, જ્યારે તે શારિરીક સંબંધ બાંધવાની ના પાડતી, તો તેનો પતિ તેના હાથ પગ બાંધી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો. પત્નીની બૂમો પાડી રહેતી, આ દરમિયાન તે મોંમાં કપડું ઠુસી દેતો હતો.
પહેલી વાર જ્યારે આવું થયું તો, યુવતીએ પોતાના પરિવાર અને સાસુને આ વાત કહી, જો કે, ફરી વાર આવું નહીં કરે તેવું આશ્વાસન આપી સાસરિયામાં રહેવા લાગી. જો કે, તેમ છતાં પણ પતિ સુધરવાનું નામ નહોતો લેતો, સમયની સાથે પતિનું વર્તન પણ ખરાબ થવા લાગ્યું.
પત્ની પર શક કરતો, વાત વાતમાં મારતો
તે પત્ની પાસેથી પિયરમાંથી પૈસા લઈ આવવાનું પણ દબાણ કરતો. તેના કેરેક્ટર પર શક કરતો હતો. વાત વાતમાં મારપીટ કરી દેતો. જે બાદ પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી. બંને પક્ષે દલીલો સાઁભળ્યા બાદ કોર્ટે છૂટાછેડાની મંજૂરી આપી દીધી હતી.
પત્નીને ગુલામ ન સમજો
મામલામાં પત્નીના વકીલ શ્યામ આંભોરે જણાવ્યું હતું કે, પીડિતાની ઉમર ખૂબ જ નાની છે. આટલી નાની ઉંમરમાં આવી બર્બરતા કોઈ પણ વ્યક્તિને ભાંગી નાખે છે. આ પ્રકરણના માધ્યમથી કોર્ટે એવો પણ સંદેશ આપ્યો કે, પત્ની આપની ગુલામ નથી.
તેની સાથે સન્માન અને પ્રેમથી રહેવું જોઈએ. હિન્દુ વિવાહ અધિનિયમની કલમ 13(1)(એ) અનુસાર કોર્ટે અરજીકર્તા વિરુદ્ધ તેમના જીવનસાથી દ્વારા ક્રૂરતા સાબિત થાય છે, તો કોર્ટે છૂટાછેડા મંજૂરી કરી શકે છે.