અંકલેશ્વર મોતાલી ગામે પત્નીને સાઇનાઇટનું ઇન્જેક્શન આપી હત્યા કર્યાનો ખુલાસો થયો છે. પત્ની સારવાર હેઠળ ઓરેન્જ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં પતિએ ગ્લુકોઝ બોટલ સાથે સાઇનાઇટનું ઈન્જેક્શન લગાવી દીધું હતું. અને કોઈને પણ ખબર પડશે નહીં. તેવું પુરવાર કરવાની કોશિશ કરી હતી. સારંગપુર ગામની પરણિતાના પ્રેમલગ્નનો કરુણ અંજામ આવ્યો છે. પ્રથમ પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી પરિણીતા પર ઘર આવી હતી. જે બાદ મોતાલી ગામના જીગ્નેશ પટેલ જોડે પ્રેમ સંબંધ બાંધતા છેલ્લા 8 વર્ષથી લગ્નજીવનમાં હતી. જો કે, હત્યાનો ખુલાસો પીએમમાં તેમજ બોટલ પર સાઇનાઇટના અંશ મળતા પોલીસે હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ ખાતે આવેલ ગણેશ રેસિડેન્સી ખાતે રહેતા જીગ્નેશ પટેલ જોડે સારંગપુરના ઉર્મિલાબેન વસાવા જોડે 8 વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જોડે લગ્ન કરી તેવો રહેતા હતા. ગત 8મી જુલાઇના રોજ જીગ્નેશ પટેલે તેના સાળા વિજય વસાવાને ફોન કરી જણાવ્યું કે, તમારી બહેનને છાતીમાં દુખાવો ઉપડ્યો છે. જેને લઇ દવાખાને લઇ જવા રીક્ષામાં આવું છું. તેમ જણાવી રિક્ષા લઇ સાળાને ત્યાં આવતા તેવો ઇકો લઇને મહાવીર ટર્નીંગ પર આવેલ ઓરેન્જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા દરમિયાન અચાનક પુનઃ ઉર્મિલાબેનની તબિયત લથડી હતી.
તેમનું મોત થયું હતું. ડોક્ટર દ્વારા પણ અચાનક મોત થતા ડઘાઈ ગયા હતા. અને શંકા ઉપજી હતી. મોતની ખબર સાંભળી આવેલા ભાઈ વિજય અને કાકાએ હોસ્પિટલના તબીબોને પૂછપરછ કરી હતી. બધું નોર્મલ હોવા છતાં મોત કેમ થયું તે અંગે જીગ્નેશ પટેલની પૂછપરછ ખુલાસો થયો હતો. પતિએ સાઇનાઇટ ઇન્જેક્શન ગ્લુકોઝની બોટલમાં નાખતો હોવાની કબૂલાત કરી હતી. વિજય વસાવાએ શહેર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ફરિયાદ આધારે પેનલ પી.એમ કરાવાયું હતું. તેમજ બોટલ અને મૃતક ઉર્મિલાબેનના વિશેરા લઇ તબીબી પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા. જેનો પી.એમ રિપોર્ટ આવતા ઉર્મિલાબેનનું મોત સાઇનાઇટથી થયું હોવાનું બહાર આવ્યું હતું.