નવસારીના બિલીમોરામાં છૂટાછેડા લીધા બાદ પતિએ તેની પત્નીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી. બાદમાં પતિ જ્યારે ભાગી રહ્યો હતો ત્યારે તેનો ગમખ્વાર અકસ્માત સર્જાયો જેથી તે પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બીલીમોરામા કરપીણ હત્યાનો બનાવ
છૂંટછેડા લિધા બાદ પૂર્વ પતિએ કરી પત્નીની હત્યા
હત્યા કરીને ભાગતી વખતે પતિનો ગમખ્વાર સર્જયો
નવસારીના બીલીમોરામાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા એક પૂર્વ પતિએજ તેની પૂર્વ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે. પતિ પત્ની વચ્ચે તાલમેલ નહોતો બની રહ્યો જેથી બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. જોકે છૂટાછેડાને લઈને પતિ આક્રોશમાં આવી ગયો હતો અને આક્રોશમાં આવીને તેણે ન કરવાનું કરી નાખ્યું.
આક્રોશમાં આવીને કરી પત્નીની હત્યા
બીલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં બાંગ્યા ફળિયા પાસેની આ ઘટના છે. રાત્રીના સમયે પૂર્વ પતિ તેની પૂર્વ પત્નીને મળવા ગયો હતો. પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ તે આક્રોશમાં આવી ગયો હતો અને આક્રોશમાં આવીને તેણે તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેમા છરીના ઘા મારીને તેણે પત્નીને મોતને ઘાટ ઉતારી હતી.
વલોટી ગામ પાસે પતિનો અકસ્માત સર્જાયો
પત્ની મોનાઝની હત્યા કરીને પતિ ત્યાથી ભાગી રહ્યો હતો. જોકે ભાગતી વખતે તેનો અકસ્માત થયો. ગણદેવીના વલોટી ગામ પાસે તેનો અકસ્માત થયો અને આ અકસ્માત થયો જેમા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે આ બનાવને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે બીલીમોરા પોલીસે પણ તપાસ હાથ ધરી છે. જેમા પોલીસે હત્યારા પતિ સામે ગુનો નોંધીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથેજ પોલીસ ઘટના સ્થળે પણ પહોચી હતી. જ્યાથી પુરાવાઓ એકઠા કરીને પોલીસે આ સમગ્ર મામલે તપાસ આરંભી છે.