મોર્નિંગ વોક નીકળેલી પત્નીને સુરતમાં એક કાર ચાલકે અડફટે લઈ ફરાર થઈ ગયો હતો, આ અકસ્માતના બનાવમાં પત્નીનું નીપજ્યું હતું મોત, મૃતકના પરિવારના સભ્યોને ગંભીર આક્ષેપ સામે આવ્યા છે, જેથી હવે આ અકસ્માત છે કે હત્યા બની ગયો છે તપાસનો વિશે.
કાર ચાલકે શાલિન ને અડફતે લીધી
શાલિનીના નામે હતો લાખો રૂપિયાનો વીમો
શાલિનીના પરિવાર દ્વારા આ મામલે ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે
પુણા કુંભરીયા રોડ પર આવેલી રઘુવીર સિલિયમ નજીકના સર્વીસ રોડ પર ફોટોમાં દેખાતી 21 વર્ષય શાલિની નું અકસ્માત થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને ફરજ પર હાજર તબીબો દ્વારા શાલિની ને મૃત જાહેર કરી હતી, શાલિનીના પરિવાર દ્વારા આ મામલે ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે શાલિની ની હત્યા કરવામાં આવી છે અને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ પતિ કરી રહ્યો છે.
શાલિનીના નામે હતો લાખો રૂપિયાનો વીમો
પતિનું પોલીસ ને કહેવું છે કે અજાણ્યા વાહનની ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો,પરંતુ શાલિનીના પરિવારના સભ્યો હત્યાનો આરોપ લગાવી રહ્યા છે,શાલિનીના નામે હતું લાખો રૂપિયાનો વીમો, પતિ અનુજની એક બહેન છે જેનું નામ છે નિરુ ઉર્ફે પૂજા અને અને ભાભી (શાલિની)ના નામે 15 લાખનો ઓનર વીમો હતો જ્યારે ડિસેમ્બરમાં લેધેલી ટ્રક નો વીમો 30 લાખ રૂપિયાની કરવામાં આવ્યો હતો, પોલિસી ક્લેમ કરવામાટે ભાઈ-બેહને કાવતરું રચી ને હત્યા કરી નાખી છે જેમાં શાલિની ના સસરા સોહનસિંઘ પણ આ કવતરમાં શિમિલ હોવાનું શાલીનીના પરિવારના સભ્યો જણાવી રહ્યા છે.
કાર ચાલકે શાલિન ને અડફતે લીધી
કુંભારિયા ગામની સારથી રેસીડેન્સીમાં રહેતા અનુજ યાદવે પોતાના નિવેદનમાં લખાવ્યું છે કે 8 મી જાન્યુઆરીના રોજ તે પત્ની શાલિની સાથે સવારે 5 વાગ્યે મોર્નિંગ વોક પર નીકળ્યો હતો અને કાર ચાલકે શાલિન ને અડફતે લીધી હતી.
ત્રણ-ચાર મહિના પછી જ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું
મહત્વની વાત છે કે ફેબ્રુઆરી 2017માં શાલિનીએ લગ્નના થયા હતા અને ત્રણ-ચાર મહિના પછી જ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું, અનુજની બહેન પૂજા ઉર્ફે નિરુ પણ હેરાનગતિ કરતી હતી, આ કારણોસર, હું મારી પુત્રીને માતૃભૂમિ ઘરે લાવ્યો છે.
પરંતુ એક મહિનામાં પાછો મોકલ્યો,વર્ષ 2018 માં 5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. તો મેં 2 લાખ રૂપિયા આપ્યા છે, બટાકાનો પાક તૈયાર થતાંની સાથે 3 લાખ આપવાનું વચન આપ્યું હતું. દીકરી સાથે ફોન પણ રાખ્યો ન હતો. હત્યાની શંકા એટલા માટે છે કે આ બધા લોકો સવારે 10 વાગ્યે જાગવા વાળું પરિવાર છે અને સવારે જબરદસ્તી વોલ્ક ઓર લઈ જવાનું શુ કારણ હોઈ શકે.
એક્સિડેન્ટલ ડેથમાં દોઢ કરોડનો વીમા પોલિસી લીધી
અનુજના પિતાનું અસલી નામ છે સોહનસિંઘ મોહબતસિંઘ યાદવ જ્યારે સુરતમાં આવ્યા બાદ સોહનસિંઘ જનકસિંઘ યાદવ કરી નાખવામાં આવ્યું છે. ગામની પ્રોપર્ટીમાં સોહનસિંઘ મોહબત ચાલી રહ્યું છે અને સુરતમાં આવ્યા બાદ બની ગયો સોહનસિંઘ જનકસિંઘ, મતલબ કઈ તો ગડબડ છે. સોહનસિંઘના નામે 70 લાખની વીમા પોલિસી છે, જેમાં નોર્મલ દેથમાં 70 લાખ બનશે અને એક્સિડેન્ટલ ડેથમાં દોઢ કરોડનો વીમા પોલિસી લીધી અને પોતે જીવિત હોવા છતાં ગામમાં રહેલા સરપંચને કીધું હતું કે મારી ડેથ સર્ટી બનાવી આપજો, એવા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
પુણા પોલીસે પતિ અનુજની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે,પરંતુ 8મીના રોજ બનેલી આ ઘટનામાં પુણા પોલીસ ની તપાસ સામે પણ શંકા ની સોઈ ઉભી થઇ રહી છે,કરણ કે પોલીસ પાસે કોઈ કડી હાથ લાગી નથી. શાલીનીનું મોતનું કારણ અકસ્માત છે કે પછી વીમા પોલિસી ક્લેમ કરવા માટે કરવામાં આવી છે હત્યા.