ઓડિશાના જાજપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં અહીં એક શખ્સે તાંત્રિકની હત્યા કરી નાખી હતી.
ઓડિશામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો
તાંત્રિકે એક શખ્સ પાસેથી 5000 લઈ કામ કરી આપવાનું વચન આપ્યું
પત્ની પાછી ન લાવી આપતા શખ્સે મોતને ઘાટ ઉતાર્યો
ઓડિશાના જાજપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં અહીં એક શખ્સે તાંત્રિકની હત્યા કરી નાખી હતી. શખ્સ એ વાતથી નારાજ હતો કે, તેમની પત્ની ઘરે પાછી નથી આવી, જો કે તાંત્રિકે તેને વચન આપ્યું હતું કે, તેની પત્ની ઘરે પાછી આવી જશે. શખ્સની પત્ની પાછી ન લાવી આપતા આ શખ્સ તાંત્રિક પર ભડકી ઉઠ્યો હતો અને તાંત્રિક મનિયા બાબરની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે અને તેની ધરપકડ પણ કરી લીધી છે. આ મામલે તપાસ થઈ રહી છે.
તાંત્રિકે આપ્યું હતું વચન
આપને જણાવી દઈએ કે, જાજપુરમાં 40 વર્ષિય એક શખ્સ શાંતનુ બેહરાએ તાંત્રિક મનિયા બાબરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. કહેવાય છે કે, આરોપીની પત્ની તેની સાથે રહેતી નથી. તે પતિનું ઘર છોડીને જતી રહી છે. તે હવે પોતાના બે બાળકો સાથે પિયરમાં રહે છે. આ વાતથી તેનો પતિ ખૂબ દુ:ખી હતો. આ તમામની વચ્ચે તેની મુલાકાત તાંત્રિક બાબર સાથે થઈ. તાંત્રિકે આ શખ્સને કહ્યું કે, તે તંત્ર-મંત્રથી તેની પત્નીને ઘરે પાછી લાવી દેશે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શાંતનુ બેહરાએ પોતાની પત્નીને પાછી લાવવા માટે તાંત્રિક મનિયા બાબરની મદદ માગી હતી. કારણ કે, સંબંધોમાં ખટાશ આવ્યા બાદ થોડા મહિનાથી તેની પત્ની બાળકો સાથએ પિયરમાં જતી રહી હતી. સુકિંડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા બાંધગામના રહેવાસી શાંતનુએ તાંત્રિકને 5000 રૂપિયા આપ્યા હતા. કેમ કે તાંત્રિકે તેની પત્ની પાછી લાવી આપવાનું વચન આપ્યું હતું.
આ કારણે થયો હતો વિવાદ
પોલીસના જણાવ્યા અનુસાર, 47 વર્ષના તાંત્રિક મનિયા બાબર જ્યારે બપોરે શાંતનુ બેહરાના ઘરે આવ્યો તો, તે સમયે તેમની વચ્ચે બોલાચાલી થઈ. બાદમાં આરોપી કામ પુરા ન કરવા પર તાંત્રિક પાસે પૈસા પાછા લેવા માટે ગયો અને ગુસ્સે થઈને ધારદાર હથિયારથી તાંત્રિક પર હુમલો કરી દીધો અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું.
ઉલ્લેખનિય છે કે, કથિત રીતે હત્યા કર્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આરોપીએ તાંત્રિકની હત્યા કર્યા બાદ આરોપી હથિયાર સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યો અને આત્મસમર્પણ કરી દીધું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.