શહેરના સરથાણા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ ઝેરી પદાર્થ ગટગટાવી આપઘાત કર્યો તો પતિએ પણ પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યું, પતિને બચાવી લેવાયો
સુરતના સરથાણામાં પરિવાર વિખેરાયો
પત્નીએ આપધાત કરતા પતિ એ નદીમાં લગાવી છલાંગ
7 વર્ષની પુત્રીનું મોત, પતિને સ્થાનિકો બચાવ્યો
શહેરના સરથાણા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ ઝેરી પદાર્થ ગટગટાવી આપઘાત કર્યો છે, જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતા પતિએ પણ પોલીસ કાર્યવાહીના ડરે પુત્રી સાથે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પતિને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે પુત્રીનું મોત નિપજ્યું છે.
સુરતના સરથાણામાં ઝઘડામાં પરિવાર વિંખાયો
સુરતના સરથાણ વિસ્તારમાં સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જેમા પત્નીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ સર્જાઈ ગયો છે એટલું જ નહીં બનાવની જાણ થતા પતિએ પણ પુત્રી સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં માસુમ પુત્રીનું મોત નિપજ્યું છે દંપતી વચ્ચેના ઝઘડામાં પત્નીએ ઝેર પી લેતાં ગભરાઈ ગયેલા પતિએ જેલ થશે એવું માનીને પુત્રી સાથે કાપોદ્રા નજીક તાપીમાં ઝંપલાવ્યું હતું, જેમાં માછીમારોએ પતિને બચાવી લીધો હતો, પરંતુ માસૂમ બાળકીનું મોત થયું હતું. બીજી તરફ પત્નીનું પણ મોત થયું હતું. આમ પરિવારમાં એક સાથે બે લોકોની જીવ ગુમાવ્યો હતો જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પત્નીએ આપધાત કરતા પતિ પુત્રી સાથે નદીમાં છલાંગ
સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ કાર્યવાહી હાથ ધરી છે, પોલીસે જણાવ્યું હતું કે રેખાબેને ઘરકંકાસથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું. પત્નીના વિરહમાં સંજયભાઈએ તેની પુત્રીને સાથે લઈને નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવને પગલે પુત્રીનું મોત નીપજ્યું છે. હાલ સંજયભાઈની સરથાણામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે માતા-પુત્રીનાં મોત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.