ઉત્તરપ્રદેશના અલિગઢમાં એક વિચીત્ર બનાવ સામે આવ્યો છે. જેમા એક પતિએ છૂટાછેડા લેવા માટે એવુ કારણ આપ્યુું છે કે મારી પત્ની રોજ ન્હાતી નથી જેથી મારે તેની સાતે છૂંટાછેડા લેવા છે.
છૂટાછેડા લેવા પતિએ આપ્યું વિચીત્ર કારણ
પત્ની ન્હાતી નથી જેથી છૂટાછેડા લેવા પતિની માગ
પત્નીએ કહ્યું ખોટા કારણો આપી પતિ હેરાન કરે છે
કેન્દ્ર સરકાર દ્વારા ત્રીપલ તલાકનો કાયદો લાવ્યા બાદ મહિલાઓ સાથે છૂટાછેડાના મામલાઓ ઘણા ઓછા થઈ ગયા છે. જેના કારમે મુસ્લિમ મહિલાઓને ઘણી રાહત થઈ છે. પરંતુ ઉત્તરપ્રદેશના અલિગઢમાં એક વિચીત્ર કેસ સામે આવ્યો છે. જેમા એક વ્યક્તિએ તેની પત્ની સાથે તલાક જે કારણ આપ્યું તે જાણીને તમે ચોંકી જશો
વુમન પ્રોટેકશન સેલ પાસે પહોચ્યો સમગ્ર મામલો
અલિગઢમાં રહેતા એક પતિએ તેની પત્ની પાસેથી છૂટાછેડા લેવા માટે એવું કારણ આપ્યું ચે કે મારી પત્ની રોજ ન્હાતી નથી જેથી મારે તેની સાથે નથી રહેવું. આ સમગ્ર મામલો હવે વુમન પ્રોટેક્શન સેલ પાસે ગયો છે. જેમા તેઓ લગ્ન બચાવા માટે કાઉંસેલીંગ કરી રહ્યા છે.
અલીગઢના ચંડોસનો બનાવ
પતિ સાથે જ્યારે કાઉંસેલરે સવાલ કર્યો કે છૂટાછેડા કેમ જોઈએ છે. ત્યારે પતિએ એવો જવાબ આપ્યો કે મારી પત્ની રોજ ન્હાતી નથી જેથી મારે તેની સાથે નથી રહેવું. છૂટાછેડાનું આ કારણ સાંભળીને કાઉંસેલર પણ હેરાન રહી ગયા છે. અલીગઢના ચંડોસમાં આ બનાવ સામે આવ્યો છે. જેમા બે વર્ષ પહેલા પતિ પત્નીના લગ્ન થયા હતા.
લગ્ન બાદ દંપત્તિએ પુત્રને જન્મ આપ્યો
લગ્ન બાદ દંપત્તિનું જીવન સારુ ચાલી રહ્યું હતું. પરંતુ બાદમાં પતિ પત્ની વચ્ચે અણબનાવ થવા લાગ્યા. જોકે આ વચ્ચે તેમણે એક પુત્રને પણ જન્મ આપ્યો તેમ છતા બંને વચ્ચેના સંબંધો જેવા હતા તેવાજ રહેતા હતા. જેથી પતિએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું ત્યારે આ સમગ્ર મામલે વૂમેન પ્રોટેકશન સેલ સુધી પહોચ્યો
પત્નીએ તમામ આરોપો નકાર્યા
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પતિએ એવું કારણ આપ્યું છે કે મારી પત્ની રોજ ન્હાતી નથી જેથી તેના શરીરમાંથી દુર્ગંધ આવે છે. સાથેજ તે એક દિવસ પણ તેની સાથે રહેવા નથી માગતો તેવું પણ તેણે કહ્યું છે. જેની સામે પત્નીએ એવું કહ્યું છે કે તેના પતિ ખોટા કારણો જણાવીને તેને હેરાન કરી રહ્યો છે.