વેલેન્ટાઈનના એક દિવસ પહેલા એક 60 વર્ષના વૃધ્ધે હાથની નસો કાપીને આપઘાત કર્યો.
60 વર્ષના વૃધ્ધની આત્મહત્યા
પત્નીના વિયોગમા કરી આત્મહત્યા
ડિસેમ્બરમા પત્નીનુ થયુ હતુ મોત
વેલેન્ટાઈનના એક દિવસ પહેલા એક 60 વર્ષના વૃધ્ધે હાથની નસો કાપીને આપઘાત કર્યો. કારણ કે પત્નીની વિદાયનો વિયોગ સહન ના થયો. 35 વર્ષની લગ્નજીવનો સાથ તો છુટયો . પરંતુ કોરોનાએ પત્નીનુ મોઢુ પણ જોવા દીધુ નહિ. આ વેદનામા વૃધ્ધે આત્મહત્યાનુ અંતિમ પગલુ ભર્યુ. પ્રેમની દુખદ વિદાય.
લોહીમા લથબથ તેમનો મૃતદેહ મળી આવ્યો
35 વર્ષનો જીવનસાથીનો સાથ છુટી જતા 60 વર્ષના વૃધ્ધે આત્મહત્યા કરી લીધી. ગુરૂકુળમા દેવભવન હોટલમા રોકાયેલા ભાવનગરના વિજય ગોરડીયા શુક્રવારે સાંજે આવ્યા હતા. પંરતુ સવારે હોટલના કર્મચારીએ તેમનો રૂમનો દરવાજો ખખડાવ્યો. પંરતુ તેઓએ દરવાજો નહિ ખોલતા. દરવાજો તોડીને જોયુ તો લોહીમા લથબથ તેમનો મૃતદેહ મળી આવ્યો. તેમણે બન્ને હાથની નસો કાપીને આપઘાત કરી લીધો. અને મોત પાછળ કોઈ જવાબદાર નહિ હોવાની નોટ પણ લખી. ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો.
35 વર્ષનો લગ્ન જીવન હતુ
આપઘાત કનાર વિજય ગોરડીયા ભાવનગરના રહેવાસી છે. બેન્ક ઓફ બરોડામા ફરજ બજાવતા હતા અને 31 ડિસેમ્બરના રોજ નિવૃત થયા છે. વિજયભાઈ અને તેમની પત્ની મીતાબેનનો 35 વર્ષનો લગ્ન જીવન હતો. બન્નેને સંતાનમા બે દિકરીઓ છે.. જેમા એક દિકરીના મુંબઈ લગ્ન થયા. જયારે બીજી દિકરી ગાંધીનગર પરણાવી છે.
પત્નીની અંતિમ વિદાયમા મોઢુ પણ જોઈ શકયા નથી
સુખી જીદંગી જીવતા વિજયભાઈ અને મીતાબેનના જીવનમા કોરોના કાળ બનીને આવ્યો. વિજયભાઈને ડિસેમ્બરમા કોરોના થયો. જેથી પત્નીથી દૂર હોમ કોરન્ટાઈન થયા. કોરોનાની ચિંતામા પત્નીનુ આઘાતમા મોત થયુ. પરંતુ સમયની કરૂણા તો જોવો કે કોરોનાના કારણે વિજયભાઈ પત્નીનો અગ્નિસંસ્કાર તો ના કરી શકયા પરંતુ પત્નીની અંતિમ વિદાયમા મોઢુ પણ જોઈ શકયા નથી. આ આઘાત અને એકલવાયુ જીવન થઈ જતા વિજયભાઈએ જીવનને ટુંકાવવાનુ અંતિમ પગલુ ભર્યુ.
પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી
ઘાટલોડીયા પોલીસે આત્મહત્યા કેસમા અકસ્માત મોતનુ ગુનો નોંધ્યો. મૃતદેહનો પોસ્ટમોર્ટમા કરાવીને પરિવારના નિવેદન લઈને વધુ તપાસ શરૂ કરી.