લખનૌઃ ઉત્તરપ્રદેશમાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થયા છે. એક જ પરિવારના પાંચેય સભ્યોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટના ઈલાહાબાદના ઘૂમનગંજ વિસ્તારની છે અને પરિવારના મોભી મનોજ કુશવાહાએ જ પોતાની પત્ની અને ત્રણ બાળકીઓની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી.
હત્યા કર્યા બાદ મનોજે પણ પોતે ગળેફાંસો ખાઈ લીધો. મનોજે પત્નીની હત્યા કરીને તેના મૃતદેહને ફ્રિજમાં મૂકી દીધો. જ્યારે એક બાળકીની હત્યા કરીને તેના મૃતદેહને કબાટમાં અને બીજી બાળકીની હત્યા કરીને તેના મૃતદેહને એટેચીમાં બંધ કરી દીધો.
ઉપરાંત પોતાના રૂમને અંદરથી તાળુ પણ મારી દીધુ હતું. ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પારિવારીક ઝઘડો કે આડા સબંધોમાં પતિએ હત્યા કરી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.