પત્નીના અવારનવાર માનસિક ત્રાસથી કંટાળી અને પતિએ આત્મહત્યા કરી લેતાં તેના ભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પત્નીના ત્રાસથી પતિએ સાતમાં માળેથી ઝપલાવ્યું
પોલીસે પત્નીની કરી ધરપકડ
મિલકતના ભાગ માટે અવાર-નવાર પત્ની કરતી હતી ઝઘડો
નરોડામાં રહેતા યુવકે પત્નીના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. જે બાદ નરોડા પોલીસે પત્ની સામે આત્મહત્યાના દૂષપ્રેરણનો ગુનો નોંધી પત્ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મૃતકની પત્ની વતનમાં રહેલી મિલકતનો ભાગ લઈ લેવા અવારનવાર ઝઘડો કરતી હતી. જે વાતને લઈ યુવકે ઘરના સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
મૂળ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના રહેવાસી અને નવા નરોડામાં દેવનંદન સંકલ્પ સિટીમાં રહેતા શિવકાંત શર્મા પત્ની મોહિની સાથે છેલ્લા એક વર્ષથી રહેતો હતો. શિવકાંત વટવા જીઆઇડીસીમાં નોકરી કરતો હતો. ગત 21 ઓક્ટોબર 2020ના રોજ શિવકાંતે પોતાના ઘરે સાતમા માળેથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જો કે આત્મહત્યા કરી લેવાનું કારણ 5 નવેમ્બરના રોજ શિવકાંતના મિત્રે તેના ભાઈને જણાવ્યું હતું કે, મકાનનો હપ્તો લેવા તેના ઘરે ગયો હતો. ત્યારે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. શિવકાંતે રસોડામાં જઈ ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢી અને પાણી પીધાં બાદ જમીન પર બોટલ ફેંકી અને દરરોજના આ ઝઘડા ખતમ કરી દઉં કહી રસોડાની ગેલેરીમાંથી નીચે ઝંપલાવ્યું હતું.
પોલીસ તપાસમાં પતિ શિવકાંત આત્મહત્યા આગલી રાત્રે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. અવારનવાર નાની-નાની વાતમાં ઝઘડા થતા હતા. આત્મહત્યાના બે દિવસ પહેલા પણ મોહિનીએ ઝઘડો કર્યો અને બે દિવસથી જમવાનું બનાવ્યું ન હતું. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વતનમાં આવેલી મિલકતમાંથી ભાગ લઈ લેવા કહેતી હતી. જે અવારનવાર જ્યારે શિવકાંત તેના ભાઈને મળતો ત્યારે કહેતો હતો કે મિલકતનો ભાગ લેવા મોહિની અવારનવાર ઝઘડા કરે છે.
પત્નીના અવારનવાર માનસિક ત્રાસથી કંટાળી અને પતિએ આત્મહત્યા કરી લેતાં તેના ભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરંતુ આરોપી પત્ની મોહિની પરિવાજનો આક્ષેપ કર્યો છે કે ફરિયાદ કરનાર મૃતકના ભાઈ દ્વારા ખોટો આરોપ લગાવી હેરાન કરે છે. મિલકતના ભાગ લઈ થતા ઝઘડાની ઘટના આક્ષેપ આરોપીના ભાઈ નકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક શિવકાંત અને આરોપી પત્ની મોહિની વર્ષ 2017માં પ્રેમસંબંધ થતા લગ્ન કર્યા હતા.