લગ્ન એ ખૂબ ખુશીની વાત છે, બે પાત્રો મળે છે અને બાદમાં તેમના આત્મનું મિલન થાય છે. તમે એવું પણ સાંભળ્યું હશે કે પતિ-પત્નીના ઝઘડા ખૂબ થાય છે પરંતુ અમદાવાદમાં એક ઘટના એવી બની કે સાંભળીને તમે દંગ રહી જશો. અમદાવાદમાં એક વ્યક્તિએ પત્નીથી પરેશાન થઇને આત્મહત્યા કરી લીધી છે. બાદમાં તે પત્ની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
22 મહિના સુધી સંબંધ ન બાંધવા દીધા
લગ્ન બાદ પણ પત્ની સંબંધો વિરુદ્ધ
માતાએ નોંધાવી વહુ વિરુદ્ધ ફરિયાદ
અમદાવાદના મણિનગરમાં રહેતી 32 વર્ષની એક મહિલા કે જેનુ નામ સુધા(નામ બદલેલ છે) છે, જેણે મહેન્દ્ર સિંહ(નામ બદલેલ છે) સાથે 22 મહિના પહેલા લગ્ન કર્યા હતા. મહેન્દ્રની માતાએ આરોપ લગાવ્યો છે કે લગ્નના 22 મહિના સુધી સુધાએ મહેન્દ્ર સાથે શારીરિક સંબંધ ન બનાવતા મહેન્દ્ર ઘણા તણાવમાં હતો. જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
માતાએ લગાવ્યો આરોપ
મહેન્દ્રની માતાએ જણાવ્યું કે, જ્યારે તે દિકરાના ઘરે રહેવા ગઇ હતી ત્યારે તેણે જોયુ કે મહેન્દ્ર ખુબ તણાવમાં છે. તણાવની વાત કરતા મહેન્દ્રએ જણાવ્યું કે, લગ્નના 22 મહિના બાદ પણ પત્ની સાથે શારીરિક સંબંધ બંધાયા નથી જેના કારણે તે તણાવમાં રહેતો હતો. સુધાએ શપથ લીધા હતા કે તે પતિ સાથે નહી ઉંઘે.
મહેન્દ્ર રેલવેનો કર્મચારી હતી, તેણે 2018માં સુધા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તેના 2016માં પહેલી પત્ની સાથે છૂટાછેડા થયા હતા. સુધા પણ આ લગ્ન પહેલા 2 લોકો સાથે છૂટાછેડા લઇ ચૂકી હતી.
શારીરિક સંબંધોને કારણે સુધા અને મહેન્દ્ર વચ્ચે અણબનાવ રહ્યો અને કંટાળીને મહેન્દ્રએ આત્મહત્યા કરી લીધી હતી.