ધોરાજીના નાગનાથ ચોકમાં રહેતા પતિ વસંતે પત્નીને જીવતી સળગાવી હતી. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને જીવતી સળગાવી હતી. ત્યારે પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
ધોરાજીમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ ઉશ્કેરાયને પત્ની પર સળગતો પ્રાયમસ ફેક્યો હતો. પ્રાયમસ ફેંકીને વસંત ભાગી ગયો હતો. જેને લઇને પત્ની સળગી હતી, સાથે રહેલી દિકરીનો બચાવ થયો હતો. આ ઘટના બાદ મહિલાને પાર્થમિક સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખેસડાઇ હતી. જોકે ગંભીર રીતે દાઝી જતા પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
નશાની લતે ચડેલા પતિને પત્નીએ કામે જવાનું કહેતા પતિએ ગુસ્સે ભરાયને આ કૃત્ય કર્યું હતું. જોકે આ સમગ્ર ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભાગી ગયેલ વસંતની શોધખોળ કરવામાં આવી રહી છે.
સારવાર દરમિયાન મૃત્યુ પામેલ મહિલાએ બે દિવસ અગાઉ જણાવ્યું હતું કે, તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પતિ વસંત પેઇન્ટિંગ કામ કરતો હતો. પરંતુ હવે તે કામ મૂકીને નશાના રવાડે ચડી ગયો અને ઘરમાં ઝઘડો કરતો હતો. રાત્રીના જ્યારે તે ઘરે આવતા કામે જવાનું કહ્યું જેને લઇને ઝઘડો થયો અને પતિએ ગેસના બાટલાની નળી કાઢી લીધી હતી. છોકરાઓને ભૂખ લાગી તો પ્રાયમસ પર રોટલી બનાવવા લગી હતી. તે સમયે પતિએ સળગતો પ્રાયમસ ફેંકતા દાઝી ગઇ હતી.