આયેશા આત્મહત્યા કેસમાં આરોપી પતિએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. આરોપી પતિ આરીફની જામીન અરજી પર સુનાવણી ચુકાદો અનામત
આયેશા આત્મહત્યા કેસ
આરોપી પતિએ જામીન અરજી કરી
પુરાવાનો નાશ થવાનો ભય
અમદાવાદમાં ચકચારી આયેશા આત્મહત્યા કેસના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આરોપી પતિએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. આરોપી પતિ આરીફની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ છે. આ મામલે ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. જામીન અરજીનો સરકાર અને આયેશાના પરિવારજનોએ વિરોધ કર્યો છે.
આ અંગે પીડિત પરિવાર દ્વારા કોર્ટમાં વાંધા અરજી કરવામાં આવી છે. આ પુરાવાનો નાશ થવાનો ભય હોવાથી જામીન ન આપવા રજૂઆત થઇ છે. જયારે સરકારે આ મામલે જણાવ્યુ હતું કે, આ આત્મહત્યા કરતા પહેલા વીડિયોમાં પતિને દોષી મનાઈ રહ્યો છે. આ મામલે આરોપીને જામીન ન આપવા પીડિત પરિવારની માંગ કરવામાં આવી છે.
આયેશાના આપઘાત પાછળ એક કારણ દહેજ પણ હતી. તો બીજી તરફ જે માહિતી સામે આવી તે, જાણીને તમે પણ ચોંકી જશો. જે આરીફ ખાન પોતાની પત્નીના પિતા પાસે દહેજની વારંવાર માગણી કરતો તેની પાસે, એક બે નહીં 4-4 દુકાન અને આલિશાન ઘર છે. પોશ વિસ્તારમાં દુકાનો અને મકાન ધરાવતા આયેશાના સાસરિયાઓને મહિને 50 હજાર જેટલું ભાડુ પણ મળે છે. આમ છતાં લાલચુ પરિવાર એક દિકરીના પિતાને પરેશાન કરતા હતા.
વીડિયો બનાવી આયશાએ કર્યો આપઘાત
અમદાવાદની આયશા નામની મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કરતા પહેલા રિવરફ્રન્ટ પર હસ્તા હસ્તા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા પોતાના પતિ સાથેના અણગમા વિશે અને હું ખુશ છું અલ્લાહ પાસે જઈ રહી છું, તેવુ કહેતી નજરે ચડે છે. બાદમાં મહિલાએ પોતાનો આ અંતિમ વીડિયો પોતાના પતિને મોકલ્યો હતો.
તો મહિલાએ આત્મહત્યા પહેલા પોતાના માતા-પિતા સાથે પણ ફોનમાં વાતચીત કરી હતી. ત્યારબાદ હવે પોલીસે દુષ્પ્રેરણાના આરોપમાં પતિ અને સાસરિયાની શોધખોળ હાથ ધરી છે. તેવામાં હવે આઇશાના પરિવારજનો અને વકીલ દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.