રાજસ્થાનના એક દંપતીએ સંથાર ગ્રહણ કર્યું, જૈન સમાજ અનુસાર પોતાની જવાબદારીઓ પૂરી કર્યા પછી સ્વેચ્છાએ મૃત્યુનું વરણ કરવાની પરંપરાને સંથાર કહેવામાં આવે છે.
રાજસ્થાનના એક દંપતીએ જૈન સમાજની પરંપરા અનુસાર સંથાર ગ્રહણ કર્યું
જૈન ધર્મમાં સંથારને જીવનની અંતિમ પ્રથા માનવામાં આવે છે
રાજસ્થાનના બાડમેર જિલ્લાના જસોલ ગામમાં એક દંપતીએ જૈન સમાજની પરંપરા અનુસાર સંથાર ગ્રહણ કર્યું છે. જૈન સમાજમાં પોતાની જવાબદારીઓ પૂરી કર્યા પછી સ્વેચ્છાએ મૃત્યુનું વરણ કરવાની પરંપરાને સંથાર કહેવામાં આવે છે. જણાવી દઈએ કે એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર 83 વર્ષના પુખરાજ સંકલેચા અને 81 વર્ષના તેમના પત્ની ગુલાબી દેવીએ જસોલમાં સંથારા લીધા છે અને એ માટે દૂર-દૂરથી લોકો આ પતિ-પત્નીના દર્શન કરવા તેમના ઘરે પહોંચી રહ્યા છે. હાલ એમના ઘરની બહાર લોકોની લાંબી લાઈન લાગી છે અને એ સાથે જ નમોકાર મંત્રનો જાપ પણ લોકો કરી રહ્યા છે.
શોકના વાતાવરણને બદલે ઉજવણી જેવો માહોલ
હાલ એમના સંથાર સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ માટે હાલ સંકલેચા પરિવારના 150 થી વધુ સદસ્યો દેશભરમાંથી જાસોલ પહોંચ્યા છે. આ સાથે જ સમાચાર મળતાની સાથે સવારથી મોડી રાત સુધી એમના ઘરની બહાર નમોકાર મંત્ર ગુંજી રહ્યો છે અને એ સાથે જ ત્યાં આવેલ લોકો ભજન-કીર્તન પણ કરી રહ્યા છે. અંહિયા ખાસ વાત એ છે કે ત્યાં આવેલ બધા લોકો જાણે છે કે થોડા દિવસો પછી એ પરિવારના બે સૌથી વરિષ્ઠ સભ્યો દુનિયા છોડીને જતાં રહેશે પણ ત્યાં શોકના વાતાવરણને બદલે ઉજવણી જેવો માહોલ છે. આ પાછળનું કારણ એ છે એક જૈન સમાજમાં એવી માન્યતા છે કે સંથારાપૂર્વક દેહ ત્યાગ કર્યા પછી મનુષ્યને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે.
હાર્ટ એટેક પછી જીવનથી થયો મોહભંગ
જણાવી દઈએ કે એક મીડિયા રિપોર્ટ અનુસાર પુખરાજને ગયા મહિને 7 ડિસેમ્બરના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ સાંકલેચા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ એમનો જીવ બચી ગયો હતો. જીવ બચી ગયો પણ તેઓ તેમના જીવનથી અસંતુષ્ટ બની ગયા હતા અને 27 ડિસેમ્બરે એમને ભોજન અને પાણી છોડીને કહ્યું કે હું હવે સંથારા પર છું. એ પછી સુમતિ મુનિની હાજરીમાં સંથારાનું સંચાલન કરવામાં આવ્યું હતું અને એમની સાથે પત્ની ગુલાબી દેવીએ પણ ભોજન અને પાણીનો ત્યાગ કર્યો હતો.
જોકે તેરાપંથ ધર્મસંઘના આચાર્ય મહાશ્રમણ આવવાના હતા એ સમયે બંનેએ ત્રીજા દિવસે પાણી લેવાનું શરૂ કર્યું હતું અને એ પછી 6 જાન્યુઆરીએ આચાર્ય મહાશ્રમણે પણ એમનો સંથારા સ્વીકારી લોડહો હતો અને હવે બંનેએ એક સાથે ફરી સંથારા પ્રાપ્ત કરી લીધા છે. જણાવી દઈએ કે જૈન સમાજમાં પરંપરા મુજબ સંથારા લેતા પહેલા પરિવાર અને ગુરુની પરવાનગી લેવી જરૂરી છે અને એ પછી જ સ્વેચ્છાએ શરીર છોડવાની પરંપરા છે. જૈન ધર્મમાં આને જીવનની અંતિમ પ્રથા માનવામાં આવે છે.
સંથારા શું છે
સંથારા પ્રથા એ જૈન ધર્મમાં સૌથી જૂની પ્રથા માનવામાં આવે છે જેમાં આ રીતે દેહ છોડવો એ ખૂબ જ પુણ્યકર્મ માનવામાં આવે છે. જૈન ધર્મ અનુસાર જ્યારે વ્યક્તિને લાગે છે કે તેનું મૃત્યુ નજીક છે ત્યારે તે પોતાને એક રૂમમાં બંધ કરી દે છે અને ખાવા-પીવાનું ત્યાગી દે છે. જણાવી દઈએ કે જૈન શાસ્ત્રોમાં આ પ્રકારના મૃત્યુને સમાધિમરણ, પંડિતમરણ અથવા સંથારા પણ કહેવામાં આવે છે.