ઘણી વખત લોકો કહે છે કે પતિ-પત્નીએ સાથે ભોજન ન કરવું જોઈએ. આ માન્યતા ખૂબ જ જુની છે. જેનો ઉલ્લેખ ભીષ્મ પિતામહે પણ પાંડવોને કર્યો હતો.
પતિ-પત્નીને નકરવું જોઈએ એક થાળીમાં ભોજન
ભીષ્મ પિતામહે તેના વિશે કહી છે આ વાત
જાણો તેના પાછળ શું છે કારણ
મોટાભાગે તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે પતિ-પત્નીને એક થાળીમાં ભોજન ન કરવું જોઈએ. પરંતુ આવું કેમ કહેવામાં આવે છે તેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. મહાભારત કાળમાં યુદ્ધ વખતે જ્યારે ભીષ્મ પિતામહ બાણશૌય્યા પર સુતા હતા ત્યારે પાંડવો પિતામહની પાસે પહોંચ્યા. તે સમયે ભીષ્મ પિતામહે પાંડવોને ઘણી જ્ઞાનની વાતો કહી હતી. તે સમયે તેમણે ભોજન સાથે જોડાયેલા નિયમો વિશે કહેતા સ્પષ્ટ કર્યું હતું કે કેવી પરિસ્થિતિઓમાં ભોજન કરવું શુભ માનવામાં આવે છે અને ક્યારે અશુભ. આ ઉપરાંત પત્નીની સાથે એક જ થાળીમાં ભોજન કરવું કેમ યોગ્ય નથી તે વાતનો જવાબ પણ ભીષ્મ પિતામહે આપ્યો હતો અહીં જાણો.
આ કારણે પતિ-પત્નીએ એક થાળીમાં ન કરવું જોઈએ ભોજન
એક સત્ય છે કે સાથે ભોજન કરવાથી પ્રેમ વધે છે. ભીષ્મ પિતામહ પણ આ વાતને જાણતા હતા. તેમનું માનવું હતું કે દરેક વ્યક્તિના પરિવારને લઈને તમામ કર્તવ્ય હોય છે. જો તે કર્તવ્યોનું ઈમાનદારી પુર્વક નિર્વહન કરે છે અને પરિવારને જોડીને રાખે છે તો પત્નીની સાથે એક થાળીમાં ભોજન ન કરો.
પત્નીની સાથે એક થાળીમાં ભોજન કરવાથી પતિના માટે પરિવારના અન્ય સંબંધની તુલનામાં પત્ની પ્રેમ જ સર્વોપરિ થઈ જાય છે. એવામાં વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને તે યોગ્ય અયોગ્યની પરખ પણ નથી કરી શકતો. જો પત્ની સર્વોપરિ થઈ જાય તો તે પરિવારમાં ઝગડાનું કારણ બને છે અને વ્યક્તિને વ્યસની બનાવી દે છે માટે પત્નીની સાથે એક જ થાળીમાં ભોજન ન કરવું જોઈએ.
પરિવારની સાથે બેસીને કરવું જોઈએ ભોજન
ભીષ્મ પિતામહનું કહેવું હતું કે દરેક ભાઈઓને અને પરિવારના અન્ય સદસ્યોને સાથે બેસીને ભોજન જરૂર કરવું જોઈએ. તેનાથી પરિવારમાં પ્રેમ વધે છે. એક બીજાના પ્રત્યે ત્યાગ અને સમર્પણની ભાવના ઉભી થાય છે. પરિવારની તરક્કી થાય છે અને પરિવારમાં દરેક સદસ્યોના સ્વાસ્થ્ય સારા રહે છે.
આવું ભોજન નથી હોતુ ખાવા લાયક
ભીષ્મ પિતામહનું કહેવું છે કે જો કોઈ તમારી પિરસેલી થાળીને અંડોળીને જાય તો તે ભોજનને કીચડના સમાન દૂષિત માનવામાં આવે છે. તેને જાનવરને આપી દેવું જોઈએ. ત્યાં જ પિરસેલી થાળીને જો કોઈ પગથી ઠોકર મારે તો તેવા ભોજનને પણ હાથ જોડીને ત્યાર કરી દેવો જોઈએ. આવું ભોજન દરિદ્રતા લઈને આવે છે. જે ભોજનમાં વાળ આવે તેને પણ ન ખાવું જોઈએ તેનાથી ધન હાની થાય છે.