ઉત્તર પ્રદેશના કાનપુરના બિધનૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવકે કોરોનાને કારણે થયેલા લોકડાઉનમાં નોકરી ગુમાવી દીધી હતી. ભૂખ્યા રહેવાનો સમય હતો. આર્થિક સંકડામણને કારણે ઘરેલુ કંકાસ એટલો વધી ગયો કે શનિવારે યુવકે ઓરડામાં ફાંસો ખાધો હતો. થોડા સમય પછી તેની પત્ની એ પણ ઓરડામાં દુધ પીતા બાળકને એકલો છોડીને ફાંસી ખાઈ લીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા
લોકડાઉન દરમિયાન પુત્રએ નોકરી ગુમાવી હતી
ફેસબુક પર પ્રેમ થતા બે વર્ષ પહેલા બંનેનાં લગ્ન થયાં હતા
ન્યુ આઝાદ નગરમાં ભાડે મકાનમાં રહેતા સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર વર્માએ પોલીસને જણાવ્યું હતું કે પુત્ર પ્રિન્સ (35) લખનઉની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતો હતો. ફેસબુક દ્વારા પુત્રની ઓળખાણ દેવરિયા નિવાસી ચંદ્રિકા (30) સાથે થઈ હતી. બે વર્ષ પહેલા બંનેનાં લગ્ન થયાં હતા. આ બાદ ચંદ્રિકાએ તેના પરિવારે સાથે સંબંધો તોડી નાંખ્યા હતા.
પુત્રની ખુશી માટે 25 જુલાઇ 2018 ના રોજ ધૂમધામથી બન્નેના લગ્ન કરાવ્યા હતા. જૂન 2019 માં બંને એક પુત્રના માતા પિતા બન્યા હતા. બધુ બરાબર ચાલતું હતું. પણ લોકડાઉન દરમિયાન પુત્રએ નોકરી ગુમાવી હતી. આર્થિક સંકડામણને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પિતાના કહેવા મુજબ શુક્રવારે રાત્રે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે શનિવારે સવારે ફરજ પર ગયો હતો.
પત્ની રાજેશ્વરી દીકરી શાલૂની સાથે દેવકી નગર તેની બહેન કમલાના ઘરે ગઈ હતી. મકાનમાલિક પણ પરિવાર સાથે સગાના ઘરે ગયા હતા. બપોરે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાજકુમારે પોતાને ઓરડામાં બંધ કરી અને પંખાની કડીની મદદથી સાડી વડે ફાંસી ખાધી હતી. પતિને ફાંસી ખાધેલી હાલતમાં જોઇને ચંદ્રિકાએ તેના માસીના દિકરા ભાઈ સત્યેન્દ્રને ઘટનાની જાણ કરી હતી.
આ બાદ ચંદ્રિકાએ તેના એક વર્ષના બાળકને બીજા ઓરડામાં છોડી દીધો અને તેને દુપટ્ટાથી લટકીને ફાંસી લગાવી દીધી હતો. ઘરે પહોંચતા માસૂમ રૂમની બહાર રડતો જોવા મળ્યો હતો. પોલીસ પ્રભારી પુષ્પરાજ સિંહે જણાવ્યું હતુ કે આર્થિક સંકડામણના કારણે કૌટુંબિક ઝઘડાનું કારણ સામે આવ્યું છે. યુવતીના પરિવારજનોને જાણ કરવાની સાથે બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે.