સૂરેન્દ્ર નગરના મૂળી તાલુકામાં એક ભેદી ઘટના સામે આવી છે. 25 વર્ષની યુવતીને 45 વર્ષના વયસ્ક સાથે પ્રેમ થઈ જાય છે બંને પરણે છે. અને 6 વર્ષ સુધી સુખી લગ્નજીવન ભોગવે છે. અને એ બાદ અચાનક પતિ-પત્ની બંનેની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવે છે. ત્યારે આ વાત ટોક ઓફ ધી ટાઉન બની એક રહસ્ય સર્ઝે છે.
પરિવારની રાજી ખુશીથી કર્યા હતા લગ્ન
હત્યા કે આત્મહત્યા?
ઘરમાં ગળેફાંસો ખાઇને જીવન ટુકાવી લીધુ?
મૂળી તાલુકાના સરા ગામમાં માત્ર ફુલહાર પહેરાવી લગ્ન કરીને ઘરમાં એક સાથે જ રહેતા 42 વર્ષના યુવાન અને 25 વર્ષની યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઇને જીવન ટુકાવી લેવાનો બનાવ બનતા ચકચાર ફેલાઇ હતી. શું તેમણે ખરેખર આત્મ હત્યા જ કરી છે કે તેમની હત્યા કરીને લાશને લટકાવી દેવામાં આવી છે તે તપાસનો વિષય બની ગયો છે.
પરિવારની રાજી ખુશીથી કર્યા હતા લગ્ન
મુળી તાલુકાના દાધોળીયા ગામે રહેતા હકાભાઇ વાણંદ પરિવાર સાથે સરા ગામમાં રહીને વાડી ભાગે રાખી ખેતી કામ કરતા હતા. તેમની બાજુમાં બળદેવભાઇ વિરજીભાઇ વરમોરાની વાડી આવેલી છે. બાજુ બાજુમાં રહેતા હોવાને કારણે એક બીજા પોતાની વાડીએ આવતા જતા હતા. તે દરમિયાન હકાભાઇની દિકરી હેમા અને બળદેવભાઇની આંખ મળી ગઇ હતી. જોકે બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો છતા એક બીજાએ સાથે રહેવાનું નકકી કરી પ્રેમમાં પડયા હતા.જે વાતથી બંનેના પરિવારજનો પણ સહમત થઇ ગયા હતા. આથી છ વર્ષ પહેલા ફુલહાર કરીને બંનેએ પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતાં.
હત્યા કે આત્મહત્યા?
મૃતક છેવાડાના ભાગે રહે છે. જો બન્નેને સાથે મરવાની ઇચ્છા હોય તો એકજ રૂમમાં જોવા મળે પરંતુ હેમાબેન દરવાજા પાસના રૂમમાં તો બળદેવભાઇ થોડા દૂર આવેલા રૂમમાં લટકતી હાલતમાં મળતા શંકા ઉપજાવી રહી છે.