વીસનગરમાં સતકૃપા સોસાયટીમાં રહેતા દંપતીએ કરેલા આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. મહિલાને તેના પતિના મિત્ર સાથે આડાસંબંધ હોવાની અને તેણે જ મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ મૃતક યુવકના પિતાએ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવતાં ખળભળાટ મચ્યો છે. યુવકના કાકાએ ફરિયાદ નહીં કરવા કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
વીસનગરના અક્ષય પટેલનાં લગ્ન હાલોલની જ્યોત્સનાબહેન સાથે થયાં હતાં. અક્ષયના મિત્ર દિપ મહેન્દ્રભાઇ પટેલને જ્યોત્સનાબહેન સાથે આડાસંબંધ હોવાની જાણ અક્ષયને થતાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં જ્યોત્સનાબહેન પિયર હાલોલ જતાં રહ્યાં હતાં. જેથી લાગી આવતાં ગત ૧૭ જાન્યુઆરીએ અક્ષય પટેલે ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
જે બનાવના બે દિવસ બાદ ૧૯ જાન્યુઆરીએ હાલોલ ખાતે પિયરમાં આપઘાત કર્યો હતો. મહેન્દ્રભાઇ પટેલે મરી જવા મજબૂર કર્યા હોવાની અને તેના કાકા પટેલ ગોપાળભાઇ દિપનું નામ નહીં આપવા, ફરિયાદ નહીં કરવાની ધમકી આપી હોવાનું જણાવી મૃતક અક્ષય પટેલના પિતા રોહિતકુમારે ફરિયાદ આપી હતી. પોલીસે દુષ્પ્રેરણા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.