રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન બહાર પાડવાની સાથે જ બુધવારે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બુધવારે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે
પ્રથમ દિવસે 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી
શરદ પવારે રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારી પાછી ખેંચી
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બુધવારે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન બહાર પાડવાની સાથે જ બુધવારે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી એક ઉમેદવારનું નામાંકન રદ થયું છે. મોટી વાત એ છે કે અત્યાર સુધી ન તો BJPની આગેવાની હેઠળના NDAએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે અને ન તો કોંગ્રેસના નેતૃત્વવાળી UPAએ પોતાની તરફથી કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
પ્રથમ દિવસે 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલ પર, ઘણા રાજકીય પક્ષોના નેતાઓએ આજે દિલ્હીમાં બેઠક યોજી હતી, પરંતુ આ મોરચો પણ કોઈ ચોક્કસ નામ નક્કી કરી શક્યું નથી.સીએમ મમતાએ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલ કૃષ્ણ ગાંધી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાના નામ આગળ મોકલ્યા છે.
શરદ પવારે રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારી પાછી ખેંચી
આ અગાઉ NCPના વડા શરદ પવારે રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જો કે રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29 જૂન છે અને ત્યાં સુધીમાં શાસક પક્ષ અને વિપક્ષના ઉમેદવારોના નામ જાહેર થઈ જશે. હાલમાં બુધવારે ઉમેદવારી નોંધાવનાર 11 પૈકી 1નું નામાંકન રદ થયું છે અને આમ 10 ઉમેદવારો મેદાનમાં છે.
પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવનારાઓમાં કેટલાક એવા નામ છે જે સામાન્ય રીતે લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે.
- લાલુ પ્રસાદ યાદવે સૌ પ્રથમ હિન્દી બેલ્ટમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ લાલુ પ્રસાદ યાદવ પણ બિહારથી આવે છે, પરંતુ તે લાલુ પ્રસાદ યાદવ નથી, દે આરજેડીના સુપ્રમો હતાં. તેઓ સારણના રહેવાસી છે, તેમની કર્મભૂમિ સારણ છે.
- તમિલનાડુના ડો. કે પદ્મરાજન અનોખા ઉમેદવાર છે. ડો. પદ્મરાજન, હોમિયોપેથિક ડોકટરથી બિઝનેસમેન બન્યા, તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. જો કે, આ ખરાબ રેકોર્ડને કારણે હકીકતમાં, લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સે તેમને મોસ્ટ ફેઈલ કેન્ડિડેટ તરીકે નામ આપ્યું છે
- રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નામાંકન ભરનારાઓમાં એક દંપતી પણ સામેલ છે આ છે મોહમ્મદ અબ્દુલ હમીદ પટેલ અને સૈરો બાનું મોહમ્મદ પટેલ. આ દંપતીએ 2017માં રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન પણ ભર્યું હતું અને આવું કરનાર તે પ્રથમ કપલ બન્યા હતાં.આ વખતે ફરીથી બંનેએ ઉમેદવારી નોંધાવી છે
-દિલ્હીથી ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાંથી ઉદ્યોગપતિ જીવન કુમાર મિત્તલનું નામ મોખરે છે. જીવન કુમાર મિત્તેલ રાષ્ટ્રપતિને અત્યાર સુધીમાં 5000 થી વધુ પત્રો લખ્યા છે અને કારણો સર તેઓ પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે, તેમણે 2021ની રાષ્ટ્રપતિ ચૂંટણી અને 2017ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ નોમિનેશન ભર્યુ હતું. હવે તેઓ ત્રીજી વાર પ્રમુખ પદ માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.