દિલ્હીમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ઐતિહાસિક મસ્જિદ જામા મસ્જિદના ગુંબજને પણ નુકસાન થયું છે.
વાવાઝોડા અને વરસાદથી જનજીવન ખોરવાયુ
વાવાઝોડાને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાઈ
વીજળીના થાંભલાઓને નુસાકન પહોંચ્યું
રાજધાની દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં સોમવારે જોરદાર વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, તો ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાથી અને માર્ગો પર પડતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. ભારે પવનને કારણે ઘણી ફ્લાઈટોના સમયને અસર થઈ છે.
Heavy rainfall and thunderstorms on Monday caused traffic jams and uprooting of trees in several parts of Delhi
લાલ કિલ્લા પાસેના અંગૂરીબાગ વિસ્તારમાં વરસાદને કારણે 65 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. તેના પર એક ઝાડ પડી ગયું હતું. તે જ સમયે, જામા મસ્જિદ પાસે એક 50 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું. બાલ્કનીનો એક ભાગ તેના પર પડી ગયો હતો.દિલ્હી પોલીસે જણાવ્યું કે ઝાડ પડવાની ઘટનાઓ વિશે માહિતી આપવા માટે રાત્રે 8 વાગ્યા સુધી 294 કોલ આવ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ઝડપ 100 કિમી પ્રતિ કલાકની રહી છે.
#WATCH | The middle dome finial of Jama Masjid in Delhi suffered damages in the heavy rain and thunderstorm earlier this evening. pic.twitter.com/bWyV0S37EW
દિલ્હીમાં થયેલા ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જામા મસ્જિદની મધ્યમાં સ્થિત ગુંબજનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું- જામા મસ્જિદની મધ્યમાં સ્થિત ગુંબજનો એક ભાગ ભારે વરસાદ અને તોફાનને કારણે ક્ષતિગ્રસ્ત થયો છે. તેના 2-3 ટુકડા જમીન પર પડ્યા છે.જો તેને તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે, તો તે તેની સામેની દિવાલ અને તેની વચ્ચેના સમગ્ર ગુંબજને વધુ નુકસાન પહોંચાડશે. તેમણે કહ્યું કે વરસાદમાં મસ્જિદના પથ્થરો ધરાશાયી થઈ ગયા છે. આ દરમિયાન 2-3 લોકો ઘાયલ પણ થયા છે.
#WATCH | Delhi: Several trees got uprooted after heavy rain hit the national capital earlier today. BJP MP Maneka Gandhi removed trees barricading the Jantar Mantar road. pic.twitter.com/rbjtri1yfq
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવી દીધો હતો. આ સાથે જ પાટનગરના લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. લગભગ 4 વાગ્યાથી અહીં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે પહેલાથી જ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવો વરસાદ અને ભારે પવનની આગાહી કરી હતી.
5 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે
દિલ્હી એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં વરસાદ અને વાવાઝોડાને કારણે 70 ફ્લાઈટ્સ મોડી પડી હતી. તે જ સમયે, પાંચ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે 30 વિમાન મોડા દિલ્હી પહોંચ્યા હતા. ખરાબ હવામાનને કારણે 5 ફ્લાઈટને જયપુર, લખનૌ, ચંદીગઢ, અમદાવાદ, દેહરાદૂન ડાયવર્ટ કરવામાં આવી છે. દિલ્હીના કબૂતર બજાર વિસ્તારમાં કરા પડતાં એક કાર ઝાડ નીચે ફસાઈ ગઈ હતી. કારની અંદર એક બાળક સહિત ત્રણ લોકો હતા. તમામને પોલીસે બચાવી લીધા છે.
A family of three including a child rescued after their car was trapped under a tree following hailstorm in Delhi's Kabutar market area: Delhi Police pic.twitter.com/91mUb1fwZu
રાજધાનીમાં વરસાદને કારણે અનેક સરકારી મિલકતોને નુકસાન થયું છે, અનેક વાહનોને નુકસાન થયું છે. ઘણી જગ્યાએ ભારે ટ્રાફિક હતો. જો કે દેશના પાટનગરના લોકોને વરસાદથી થોડી રાહત મળી હતી. સાંજે 4.20 વાગ્યે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સાંજે 5.40 વાગ્યે ઘટીને 25 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું.પાલમ એરપોર્ટ અને સફદરજંગમાં 13 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળ્યો હતો. આ વિસ્તારોમાં આજે સવારે નોંધાયેલા તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હતું જે હવે 27 ડિગ્રી થઈ ગયું છે.