પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા પરાજય બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે મૂલ્યો અને આદર્શો માટે આગળ પણ લડતા રહીશું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ટ્વિટ
મૂલ્યો અને આદર્શો માટે લડતા રહીશું
લોકોના આદેશનો સ્વીકાર કરીએ છીએ
પાર્ટી કાર્યકરોનો આભાર માનતા રાહુલે કહ્યું કે અમને જનતાનો ચુકાદો સ્વીકાર છે અને કોંગ્રેસનું સમર્થન કરનાર તમામ કાર્યકરોનો આભાર માનું છું. રાહુલે ટ્વિટ કરીને જણાવ્યું કે અમે વિનમ્રતાથી લોકોના આદેશનો સ્વીકાર કરીએ છીએ. એ હજારો કાર્યકરો અને લાખો લોકોનો આભાર જેમણે જમીન સ્તરે અમારો સાથ આપ્યો. અમે અમારા મૂલ્યો અને આદર્શો માટે લડતા રહીશું. જય હિંદ
We humbly accept the people’s mandate.
Sincere gratitude to our workers & the millions of people who supported us on the ground.
We will continue to fight for our values and ideals.
રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ જ એકમાત્ર મજબૂત વિકલ્પ- રણદીપ સુરજેવાલા
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે.
તો બીજી તરફ પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળના લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા તથા કોરોના મહામારીમાંથી બેઠા થવા શક્ય હર સંભવ મદદ અને સમર્થન આપવાનું ચાલુ રાખશે.પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે અમારી પાર્ટી પર આશીર્વાદ વરસાવનાર બંગાળના મારા ભાઈઓ અને બહેનોનો આભાર માનું છું. મમતા દીદીને બંગાળની જીત બદલ અભિનંદન. કેન્દ્ર સરકાર કોરોના સામેના જંગમાં બંગાળ સરકારને તમામ સહાય કરશે.