અમેરિકાના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા એક અસાધારણ પ્રયાગોમાં ડુક્કર અને ઉંદરો અને કાચબા મોં કે નાક વાટે નહીં પરંતુ ગુદાવાટે શ્વાસ લેતા માલૂમ પડ્યા હતા.
અમેરિકાના વૈજ્ઞાનિકોએ શરુ કર્યો નવો પ્રયોગ
ડુક્કર અને ઉંદરો અને કાચબા પર પ્રયોગ
આ પ્રાણીઓ ગુદામાર્ગેથી શ્વાસ લઈ શક્યા
ભવિષ્યમાં મનુષ્યો પર કરાશે ટ્રાયલ
સફળ રહેશે તો મનુષ્યો પણ ગુદામાર્ગેથી લઈ શકશે શ્વાસ
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે માનવી જલ્દી જ પોતાના શરીરના પાછળના ભાગ એટલે કે ગુદામાંથી શ્વાસ લઇ શકશે. જેનાથી શ્વાસ સંબંધી સમસ્યાઓથી પરેશાન લોકોને રાહત મળશે. આ વાતને સાબિત કરવા માટે અમેરિકાના વૈજ્ઞાનિકોના એક જૂથે ડુક્કર અને ઉંદરો અને
કાચબા પર પ્રયોગ કર્યો હતો જે સફળ રહ્યો હતો.
ડુક્કર, ઉંદર અને કાચબાના આંતરડાને પહોળું કર્યું
અમેરિકીની કૈલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પોતાના પ્રયોગમાં પ્રાણીઓના આંતરડાને થોડું પાતળું કર્યું હતું. જેથી મ્યુકોસલ અસ્તર પાતળું થઈ શકે. આ લોહીના પ્રવાહને વેગ આપે છે. લોહીના પ્રવાહમાં કોઈ અવરોધ નથી. ત્યારબાદ આ જીવોને ઓછા ઓક્સિજનવાળા રૂમમાં રાખવામાં આવ્યા હતા. કાચબામાં પહેલાથી જ પાતળી મ્યુકોસલ લાઇન સાથે આંતરડા હોય છે. તેથી તેને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડી. તેથી તેઓ શિયાળામાં પણ ટકી રહે છે. જે સજીવોના આંતરડાની સારવાર કરવામાં આવી ન હતી તેઓ લો-ઓક્સિજન ચેમ્બરમાં 11 મિનિટ સુધી ટકી રહ્યા હતા. જે પ્રાણીઓને ઓક્સિજનની ઉણપવાળા ચેમ્બરમાં રાખવામાં આવ્યા હતા તેઓ 11 મિનિટ પછી મૃત્યુ પામ્યા હતા. કારણ કે તેમના આંતરડામાં કોઈ સારવાર નહોતી. પરંતુ જે પ્રાણીઓના આંતરડાની સારવાર કરવામાં આવી હતી તે લગભગ 18 મિનિટ સુધી બચી ગયા હતા. એટલે કે, તેઓ શરીરના પાછળના ભાગમાંથી શ્વાસ લઈ રહ્યા હતા.
Humans can breath through their butt - and scientists say it could soon save lives - Daily Star https://t.co/IVwx8IY3nU
— The Security Sleuth (@Security_Sleuth) June 20, 2022
ઈમરજન્સીમાં દર્દીઓને બચાવી શકાશે આ ટેકનીકથી
આ પ્રયોગ એક કલાક સુધી ચાલ્યો. જે પ્રાણીઓના આંતરડાની સારવાર કરવામાં આવી હતી. તેમના ગુદામાર્ગ પર પ્રેશર ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ત્યારે તેમાંથી 75 ટકા જાનવરો એક કલાક સુધી જીવતા રહ્યા. આ દર્શાવે છે કે ઉંદરો અને ડુક્કરો નીચા-ઓક્સિજનની સ્થિતિમાં તેમના ગુદામાર્ગ દ્વારા શ્વાસ લેવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રયોગ સફળ થયા બાદ હવે વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે આપણે બધા મરવા માટે જન્મ્યા છીએ. તેથી ખરાબ સમયમાં આપણે આપણા આંતરડામાંથી શ્વાસ લઈ શકીએ છીએ અને થોડા સમય માટે લાંબુ જીવી શકીએ છીએ.
ભવિષ્યમાં થઈ શકે માનવ પર ટ્રાયલ
હાલમા વૈજ્ઞાનિકોએ ફક્ત પ્રાણીઓ પર આ ટ્રાયલ કરી છે અને ભવિષ્યમાં માનવો પર તેનો પ્રયોગ થઈ શકશે તે દિવસો દૂર નથી. જો આવું થશે તો ઘણા લોકોના જીવ બચી જશે. ભવિષ્યમાં આનો પ્રયોગ મનુષ્યો પર કરવાનો વૈજ્ઞાનિકોનો વિચાર છે.