જો માણસ એલિયન હોત તો શું થયુ હોત?. આખી દુનિયામાં રહેલા માણસો એલિયન તો છે. પૃથ્વી પર રહેલા આધુનિક મનુષ્યને કોઈ અન્ય એલિયન પ્રજાતિની સાથે સંકરણ એટલેકે ક્રોસબેડ દ્વારા બનાવવામાં આવ્યાં છે.
મનુષ્ય એલિયનના મિલનથી ઉત્પન્ન થયા
એક બુકમાં વૈજ્ઞાનિકોએ કર્યો ઉલ્લેખ
મનુષ્ય ધરતી પર રહેલો સૌથી બુદ્ધિમાની જીવ
આધુનિક માણસ ત્યારે બન્યાં જ્યારે પાડોશી અને સૌરમંડળ અલ્ફા સેન્ટોરીનું એલિયનની સાથે તેનુ ક્રોસબ્રેડ (એટલેકે બ્રીડિંગ) કરવામાં આવ્યું. આ દાવો દુનિયાના કેટલાંક નિષ્ણાંતોએ કર્યો છે.
મનુષ્યના બાળકનો માનસિક વિકાસ ધીરે-ધીરે થાય છે
કોઈ પણ યુવક અથવા યુવતીની બુદ્ધિમતા તેના શરીરની રચના સાથે સંબંધિત હોય છે. મનુષ્યોની શારીરીક રચના અન્ય જીવોની શારીરીક રચનાથી તદ્દન અલગ છે. પરંતુ આ વિચિત્ર છે. જેમ કે... જ્યારે ઘોડાના બચ્ચાનો જન્મ થાય છે ત્યારે તે ઉઠીને ચાલવા લાગે છે અને પોતાના બધા કામ જાતે કરે છે. પરંતુ માણસના બાળકો જન્મ્યા બાદ ચાલવા માડે તો તમે ગભરાઈ જશો. કારણકે આવુ શક્ય નથી. મનુષ્યના બાળકે ધીરે-ધીરે પોતાની માનસિક ક્ષમતાને વધારીને વિકસિત કરવી પડે છે. તેનો ન્યૂરોલોજીકલ વિકાસ થાય છે.
તો શું માણસોનો જન્મ પૃથ્વી પર નથી થયો !
મનુષ્યએ બે પગે ચાલવાનુ કેમ શરૂ કર્યુ? આ બાબતોને બદલવા, સમજવા અને નવુ બનાવવા માટે તૈયાર થતા ગયા. ડૉ. એલિસ સિલ્વરે એક નવી થિયરી આપી છે. જેમાં તેઓ કહે છે કે મનુષ્ય અન્ય જીવોની સાથે પૃથ્વી પર વિકસિત થાય નથી. એક બુક છે, જેનુ નામ છે- Humans are not from Earth: a scientific evaluation of the evidence. જેમાં ડૉ. એલિસ સિલ્વર જેવા વિશ્વભરના વૈજ્ઞાનિકોએ આ વાતની થિયરી આપી છે કે માણસોનો જન્મ પૃથ્વી પર નથી થયો.
એક બુકમાં વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
Humans are not from Earth: a scientific evaluation of the evidence બુકમાં મનુષ્યને એલિયન બતાવનારા 13 હાઈપોથીસિસ અને 17 ફેક્ટર્સ ગણાવવામાં આવ્યાં છે. કારણકે મનુષ્ય ધરતી પર રહેલો સૌથી બુદ્ધિમાની જીવ તો છે. પરંતુ તે ધરતીના હવામાન, પર્યાવરણના હિસાબ પ્રમાણે જીવતા રહેવા લાયક નથી. તેઓ સૂર્યની વધુ રોશની, પૂર, ખરાબ હવામાન સહન કરી શકતા નથી. તેઓ ક્રોનિક બિમારીઓનો શિકાર થાય છે. મનુષ્યથી વધુ બિમાર રહેનારા કોઈ જીવ પૃથ્વી પર નથી.
માણસને પીઠના દુ:ખાવાનો સામનો કરવો પડતો હતો
ડૉ. એલિસ સિલ્વર મુજબ, મનુષ્યને પીઠનો દુ:ખાવો કરોડો વર્ષો સુધી સામનો કરવો પડતો હતો. કારણકે તેઓ ચાર પગથી આગળ ચાલીને બે પગ પર ઉભા રહેતા હતા. કારણકે આ પ્રક્રિયાથી એવુ લાગે છે કે માણસ ઓછા ગુરૂત્વાકર્ષણવાળા કોઈ ગ્રહ પર જન્મ્યુ હશે. અથવા પછી મનુષ્યના પૂર્વજોનુ બીજા ગ્રહના જીવોની સાથે બ્રીડિંગ કરાવ્યું હશે.
જેના કારણે આજે આધુનિક માણસનો જન્મ થયો
ડૉ. એલિસ સિલ્વર મુજબ, નિએન્ડરથલ મનુષ્યોનું આપણા પાડોશી સૌર મંડળ અલ્ફા સેન્ટોરીના જીવોની સાથે ક્રોસબ્રીડિંગ કરાવ્યું હશે. જેના કારણે આજે આધુનિક માણસનો જન્મ થયો છે. ડૉ. એલિસ કહે છે કે દુનિયામાં એવા લાખો લોકો છે, જે આ કહે છે કે તેઓ પોતાને આ પૃથ્વી પરના નથી માનતા. તેમને અહીં રહેવામાં મુશ્કેલી આવે છે. એવું પણ હોઈ શકે છે કે એલિયન્સે પૃથ્વીને જેલ તરીકે ઉપયોગ કરી હોય. માણસને અહીં રીત અને પદ્ધતિ શિખવાડવામાં આવી રહી છે.