કોરોનાને કારણે જ્યારે કર્મચારીઓને કોસ્ટ કટિંગના નામે કાઢવામાં આવ્યા અથવા પગાર ઓછા કરી દેવામાં આવ્યા, આવી કહાનીઓ સાંભળવા મળતી હશે પરંતુ કેટલીક કહાનીઓ એવી પણ સામે આવી છે જેણે માનવતાના ઉદાહરણો પૂરા પાડ્યા છે. ચેન્નઇના એક બિઝનેસમેને આવું જ એક ઉદાહરમ પૂરુ પાડ્યુ છે.
દરિયાદીલીની અનોખી મિસાલ
7 કર્મચારીઓને પહોંચાડ્યા વતન
ચેન્નઇના સંદિપ જૈને તેમની કંપની માટે કામ કરી રહેલા 7 મજૂરોને પ્લેનથી ઘરે પહોંચાડ્યા છે. સાથે જ કંપની બંધ હોવા છતા તેમનો પગાર પણ તેમને આપી દેવામાં આવ્યો છે. આ મજૂરો ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે. જૈન પેકર્સ એન્ડ મૂવર્સ નામની કંપનીમાં તેઓ કામ કરી રહ્યા છે. સંદિપ જૈને જણાવ્યુ કે, 2 મજૂર પહેલા જ સ્પેશિયલ ટ્રેનની મદદથી ઘરે પહોંચી ગયા હતા, જ્યારે આ મજૂર ફસાઇ ગયા હતા. સંદિપે આ 7 મજૂરને તેમના ઘરે પહોંચાડવા માટે આ નિર્ણય લીધો અને ફ્લાઇટ દ્વારા તેમને ઘરે પહોંચાડી દીધા હતા.
ઘરે પહોંચીને મજૂરોએ શું કર્યુ?
આ મજૂરો આખા રસ્તે ચૂપ હતા, તે ખૂબ ખૂશ હતા કારણકે આટલા દૂરથી તે તેમના વતન જઇ રહ્યાં હતા. ઘરે પહોંચીને તેમના માલિક સંદિપને ફોન કરીને કહ્યું હતુ કે, તે પહોંચી ગયા છે અને લૉકડાઉન સમાપ્ત થશે અને પરિસ્થિતિ સામાન્ય થશે એટલે તેઓ તરત જ કામે પરત ફરશે.
દેશમાં કોરોના વધતો જ જાય છે. હેલ્થ મિનિસ્ટરી મુજબ કેસની સંખ્યા 1,98,706 થઇ ગઇ છે. જ્યારે 5,598 લોકો મોતને ભેટી ચૂક્યા છે.