તાપી જિલ્લાના સોનગઢમાં એક સનસની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક ખંડેર જેવા મકાનમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. અનેક સવાલો સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.
સોનગઢ પંથકમાં નેશનલ હાઇ-વે નંબર - 53ને અડીને એક ખંડેર આવેલુ છે. જેના વર્ષોથી બંધ મકાનના ઉપરના ભાગે સ્થાનિકોને માનવ કંકાલની ખોપડી છાપરા માં ફસાયેલ નજરે પડી હતી.
સોનગઢ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. પી.એમ. અને એફ.એસ.એલ.ના રિપોર્ટ બાદ જ મૃતકની ઓળખ થઇ શકશે.
તાપી જિલ્લાના સોનગઢમાં બનેલી આ સનસની ફેલાવે તેવી ઘટનામાં ખંડેર મકાનમાંથી માનવ કંકાલ મળી આવતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. પોલીસે આ માનવ કંકાલના છુટાછવાયા અંગોનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપ્યુ છે.