10 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રિય માનવાધિકાર દિવસ તરીકે આખી દુનિયામાં ઉજવવામાં આવે છે. આજે 70મા વર્ષે ઉજવણી માટેની થીમમાં સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઈટ્સ (Stand Up For Human Rights) ની પસંદગી કરવામાં આવી છે.
આજે છે આંતરરાષ્ટ્રિય માનવાધિકાર દિવસ
દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવાય છે આ દિવસ
આ વર્ષનો થીમ સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઈટ્સ છે
આજે આંતરરાષ્ટ્રિય માનવાધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાભરમાં દર વર્ષે 10 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રિય માનવાધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઈટ્સ. સંયુક્ત રાષ્ટ્રએ 10 ડિસેમ્બર 1948ના દિવસે આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. જો કે અધિકારીક રીતે 1958માં તેની જાહેરાત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રિય માનવાધિકાર દિવસ ઉજવવાને માટે સંસદના દરેક દેશને 1950માં આમંત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંસદે 423 વી રિઝોલ્યુશન પાસ કરીને દરેક દેશ અને સંબંધિત સંગઠનોને આ દિવસ ઉજવવાની સૂચના આપી હતી.
આંતરરાષ્ટ્રિય માનવાધિકાર દિવસ શા માટે મનાવવામાં આવે છે?
માનવાધિકાર દિવસ લોકોને તેમના અધિકારો માટે જાગૃત કરવાના ઉદ્દેશથી ઉજવવામાં આવે છે. માનવાધિકારમાં સ્વાસ્થ્ય, આર્થિક, સામાજિક, શિક્ષાના અધિકાર પણ સામેલ છે. માનવાધિકાર એ મૂળભૂત નૈસર્ગિક અઘિકાર છે જેનાથી માણસને જાતિ, રાષ્ટ્રિયતા, ધર્મ, લિંગ વગેરેના આધારથી વંચિત રાખી શકાય નહીં કે તેને હેરાન કરી શકાય નહીં.
ભારતમાં માનવાધિકાર ક્યારથી અમલમાં આવ્યો
ભારતમાં માનવાધિકાર કાયદો 28 સપ્ટેમ્બર 1993માં અમલમાં આવ્યો. ત્યારબાદ સરકારે 12 ઓક્ટોબર 1993માં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની વ્યવસ્થા કરી. માનવાધિકાર આયોગ રાજનૈતિક, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્ષેત્રમાં કામ કરે છે. જેમકે મજૂરી, HIV એઈડ્સ, હેલ્થ, બાળવિવાહ, મહિલા અધિકાર, માનવાધિકાર આયોગનું કામ સૌથી વધારે લોકોને તેમના અધિકારો માટે જાગૃત કરવાનું છે.