કોરોના કાળ વચ્ચે વધુ એક મુસીબતે દસ્તક દેતા ચિંતા વધી છે અને જેનું નામ છે બર્ડ ફ્લૂ. આ વાયરસ કોરોનાથી પણ ખતરનાક છે કારણ કે, તેનાથી સંક્રમિત થયાં લોકોમાં અડધો અડધ લોકો મોતને ભેટે છે. જ્યારે કોરોનાથી સંક્રમિત થતાં લોકોમાં મરનાર વર્ગની ટકાવારી 3 ટકા છે. માટે હવે આ મહામારીને કારણે દેશા મોટા ભાગના રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કોરોના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ મચાવ્યો કહેર
સંક્રમિત થનાર લોકોનો મૃત્યુદર 60 ટકા
દેશના બધા રાજ્યોમાં એલર્ટ
ઉલ્લેખનીય છે કે, ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઇ ગઇ છે. એવામાં કેન્દ્ર સરકાર દ્વારા એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જેના મારફતે દેશમાં આવી રહેલા બર્ડ ફ્લૂના કેસને લઇને નજર રાખવામાં આવી રહી છે.
કોરોના કરતા પણ વધુ જીવલેણ
બર્ડ ફ્લૂ, જેને એવિયન ઈન્ફલ્યુએન્ઝા કહેવામાં આવે છે, તે કોરોના કરતા વધુ ચેપી અને વધુ જીવલેણ છે. 11 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે મનુષ્યને ચેપ લગાવે છે. પરંતુ તેમાંના ફક્ત પાંચ જ છે જે મનુષ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ છે - H5N1, H7N3, H7N7, H7N9 અને H9N2. પક્ષીઓ દ્વારા જ બર્ડ ફ્લૂ મનુષ્યમાં ફેલાય છે. આ વાયરસને HPAI (Highly Pathogenic Avian Influenza) કહેવામાં આવે છે. આમાં સૌથી ખતરનાક H5N1 બર્ડ ફ્લૂ વાયરસ છે. જો કે, ચિંતાજનક બાબત એ છે કે, બર્ડ ફ્લૂના કારણે મૃત્યુદર 60 ટકા છે.
મોતના આંંકડા
બર્ડ ફ્લૂથી 2003માં 455 માર્યા ગયા
વર્ષ 2003 થી આજ સુધી, તે કેટલાક દેશમાં તેની અસર દર્શાવવાનું ચાલુ રાખ્યું છે. H5N1 બર્ડ ફ્લૂ વાયરસ એ બધા વાયરસમાં સૌથી ખતરનાક છે કારણ કે અડધાથી વધુ ચેપગ્રસ્ત લોકો તેના કારણે મૃત્યુ પામે છે. વર્ષ 2003 થી H5N1 બર્ડ ફ્લૂના વાયરસથી સંક્રમિત મનુષ્ય અને મૃત્યુ વિશે વાત કરવામાં આવે તો, કુલ 861 લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 455 માર્યા ગયા છે. એટલે કે, મૃત્યુ દર 52.8 ટકા છે.
2008માં વરસાવ્યો હતો કહેર
H5N1 બર્ડ ફ્લૂ વાયરસ 2008 માં ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને વિયેટનામમાં 11 વખત ચેપ ફેલાયો છે. વર્ષ 2006 થી, H5N1 બર્ડ ફ્લૂ વાયરસ ચેપ 65 વખત ફેલાવાના મામલા સામે આવ્યા હતા છે. H5N1 બર્ડ ફ્લૂ વાયરસની કેટલીક રસી પણ બનાવવામાં આવી છે, જે બ્રિટન, અમેરિકા, ફ્રાંસ, કેનેડા જેવા દેશો દ્વારા સંગ્રહિત કરવામાં આવી છે.
દેશના 8 રાજ્યમાં બર્ડ ફ્લૂ ફેલાયો
દેશમાં વિવિધ રાજ્યમાં પક્ષીઓના મૃત્યુની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે બર્ડ ફ્લૂની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે સ્વાસ્થ્ય વિભાગો પણ અલર્ટ થઈ ગયા છે. તાજેતરમાં હિમાચલપ્રદેશના પોંગ ડેમમાં 1400થી વધુ પ્રવાસી પક્ષીના મૃત્યુ થયા હતા. કાંગડા જિલ્લા તંત્રએ પોંગ જળાશયમાં તમામ ગતિવિધિ પર પ્રતિબંધ પણ લગાવી દીધો હતો અને મૃત્યુનું કારણ શોધવા ભોપાલની લેબમાં સેમ્પલ મોકલી આપ્યા હતા. બીજી તરફ મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોલેજ પરિસરમાં 100થી વદુ કાગડાના મૃત્યુ થયા હતા. જેમાં તપાસ દરમિયાન 2 કાગડામાં H5N8વાયરસ મળ્યો હતો. આ તરફ રાજસ્થાનમાં પણ જયપુર સહિત 7 જિલ્લામાં 135 કાગડાના મૃત્યુ થયા છે. જે બાદ ગેહલોત સરાકરે પક્ષીના મૃત્યુની તપાસ માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.
માનવી માટે ખતરનાક છે બર્ડ ફ્લૂ
બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓમાં જ નહી પરંતુ પશુઓ અને માણસમાં પણ ફેલાય છે. બર્ડ ફ્લૂનો જો સમયસર ઇલાજ ન થાય તો જીવલેણ પણ સાબિત થઇ શકે છે. બર્ડ ફ્લૂને એવિયન ઇન્ફ્લૂએન્ઝા પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે. બર્ડ ફ્લૂ આમ તો અનેક પ્રકાર છે પરંતુ (H5N1) પહેલો એવો વાયરસ હતો, જેનાથી પહેલી વખત વ્યક્તિ સંક્રમિત થઇ હતી. તેનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. આ બીમારી સંક્રમિત પક્ષીના મળ, લાળ અને આંખમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાચ છે.
બર્ડ ફ્લૂના શું છે લક્ષણો?
બર્ડ ફ્લૂના લક્ષણોમાં ગળામાં ખરાશ, નાક બંધ થઇ જવું, થાક લાગવો, ઠંડી લાગવી, તાવ આવવો, સાંધામાં દુખાવો થવો અને છાતીમાં દુઃખાવો થવો છે. જો કોઇને આ પ્રકારના લક્ષણો જણાય તો સાવચેત થઇને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી.
બર્ડ ફ્લૂથી કઇ રીતે બચી શકાય?
હાલ બર્ડ ફ્લૂનું સંક્રમણ કેટલાક રાજ્યોમાં જણાઇ રહ્યું છે ત્યારે આગમચેતી પગલારૂપે વારંવાર હાથ ધોતા રહેવું, પક્ષીઓથી દૂર રહેવું, જે જગ્યાએ બર્ડ ફ્લૂનો પ્રકોપ હોય તે સ્થાનથી દૂર રહેવું અને ઇન્ફ્લૂએન્ઝાની વેક્સિન લગાવવા માટે તબીબની સલાહ લેવી.