કોલકત્તામાં એક અમાનવીય વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નગર નિગમના કર્મચારીઓ અડધા બળેલા મૃતદેહને એક ગાડીમાં ઘસડીને ફેંકી રહ્યા છે. આ ઘટના બાદ રાજ્યપાલથી લઈને વિપક્ષી દળોએ મમતા સરકાર પર નિશાન સાધ્યું છે.
કોલકત્તામાં શ્મશાનઘાટમાં મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે પહોંચ્યા કર્મચારીઓ
દુર્ગંધ ફેલાવવાના આરોપથી અગ્નિ સંસ્કારનો કર્યો વિરોધ
વીડિયો વાયરલ થતાં મમતા સરકાર પર વિપક્ષનો પ્રહાર
પશ્ચિમ બંગાળના સ્મશાનગૃહમાં કેટલાક મૃતદેહો સળગાવતા આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઇ હતી. સ્થાનિક લોકોએ મૃતદેહ સળગાવવાનો વિરોધ કર્યો હતો ત્યારે પાલિકાના કર્મચારીઓએ મૃતદેહને કારમાં ખેંચી લીધો હતો. આ અમાનવીય ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકોએ કહ્યું છે કે આ શરીર કોરોના દર્દીઓ છે. જો કે વહીવટીતંત્રએ આ વાતનો ઇન્કાર કર્યો છે. વહીવટીતંત્રનું કહેવું છે કે મૃતદેહ કોરોના દર્દીઓની નહોતી, પરંતુ લાવારિસ હતી.
ये अमानवीयता की हद है। किसी की मृत देह को ममताजी आपके राज में जिस तरह घसीटकर गाड़ी में पटका जा रहा है, वो असहनीय है। क्या सरकार इस बात की जवाबदेह नहीं है कि ये कृत्य क्यों किया गया।
जनता में भय के साथ पश्चिम बंगाल सरकार के प्रति गुस्सा भी है। pic.twitter.com/4Bw3r8TVrW
— Kailash Vijayvargiya (@KailashOnline) June 11, 2020
સોશ્યિલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
મૃતદેહોને વાહનમાં ખેંચીને લઈ જવાના ઘણા વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયા છે. કેટલાક વીડિયોમાં લોકો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. લોકોએ કહ્યું કે તેમના ઘરને વિચિત્ર ગંધ આવે છે. બધા જ ઘરની બહાર આવ્યા. તેઓએ જોયું કે દુર્ગંધ નજીકથી સ્મશાનગૃહથી આવી રહી હતી.
લોકોએ કર્યું પ્રદર્શન
લોકોની ભીડ ત્યાં જમા થઈ અને હાહાકાર મચ્યો. લોકોએ કહ્યું કે કોલકત્તા નગર નિગમના કર્મચારીઓએ ચૂપચાપરીતે કોરોના વાયરસના દર્દીઓના મૃતદેહ સળગાવી રહ્યા છે. વધતા હાહાકારને લઈને નગર નિગમના કર્મચારીઓ અડધા બળેલા મૃતદેહને લઈને ગાડીમાં ભરવા લાગ્યા.
West Bengal Health Department has informed that dead bodies were not of COVID patients, but were unclaimed/ unidentified bodies from Hospital Morgue. Legal action is being taken against persons spreading #FakeNewspic.twitter.com/ENcmUEgY3m
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અડધા સળગેલા મૃતદેહને શ્મશાનઘાટની પાસે અંદરથી ઘસેડીને બહાર લાવી રહ્યા છે અને ગાડીમાં ફેંકી રહ્યા છે. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર જોત જોતામાં વાયરલ થયો છે.
રાજ્યપાલે માંગ્યો રિપોર્ટ
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે વીડિયો પર ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્યના ગૃહ સચિવે ઘટના સંબંધી રિપોર્ટ માંગ્યો છે. રાજ્યપાલ સફાઈને લઈને સંતુષ્ટ નથી. તેઓએ કહ્યું મુદ્દો એ નથી કે દર્દી પોઝિટિવ છે કે નહીં. માનવીય મૃતદેહને આટલી બેરહેમીથી ઘસડીને કેવી રીતે લઈ જઈ શકાય. આ અમાનવીય છે. જો આ મૃતદેહ તેમના સંબંધીની હોય તો તેમની પર શું વીતે?
Given sensitivities of people and wider ramifications it may have, urge @MamataOfficial to be responsive in humane manner. A police action to repress would be hurtful.
In our culture dead bodies have to be accorded highest respect.
Scars of Dhapa and now this SHAME ! (2/2)
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) June 12, 2020
સરકારની દલીલ
બંગાઆળના સ્વાસ્થ્ય વિભાગ અને કોલકત્તાની પોલીસે વીડિયોને ફેક ગણાવ્યો છે. કહ્યું કે લાશ એક હોસ્પિટલના મૃતદેહના લાવારિશ મૃતદેહ હતા. કોરોના દર્દીના નહીં.
મમતા સરકાર પર વિપક્ષનો હુમલો
વિપક્ષી એમસીપી અને બીજેપીએ પણ મમતા સરકાર પર હુમલો કર્યો છે. બીજેપીએ આરોપ લગાવ્યો છે કે વીડિયો આ વાતનું સબૂત છે કે ટીએમસી સરકાર કોવિડથી થનારા મોતની સંખ્યાને છુપાવી રહી છે.
વિજયવર્ગીયએ કહ્યું અમાનવીયતાની હદ
ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ શ્મશાનની સાથે લાશને ઘસડીને લઈ જતો વીડિયો ટ્વીટ કર્યો છે અને મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું અમાનવીયતાની હદ છે. કોઈ મૃતદેહને મમતા રાજમાં આ રીતે લઈ જવાય એ અસહનીય છે. શું સરકાર આ વાતનો જવાબ આપવા બંધાયેલી નથી?