મનુષ્યે છેલ્લા 50 વર્ષમાં મંગળ પર 7119 કિલો કચરો છોડ્યો છે. કુલ 18 માનવ નિર્મિત વસ્તુઓ મંગળ ગ્રહ પર મોકલવામાં આવી છે.
મંગળ ગ્રહ પર 7119 કિલો કચરો ફેલાયેલો છે
માનવી નિર્મિત 50 વર્ષમાં કચરો કરવામાં આવ્યો
વિશ્વભરમાંથી કુલ 18 વસ્તુઓ મંગલ ગ્રહ પર મોકલી
ભારત સરકારના શહેરી મામલાના મંત્રાલયના આંકડા મુજબ સામાન્ય રીતે વ્યક્તિ રોજ અડધો કિલો કચરો કરે છે. એટલે કે એક વર્ષમાં લગભગ 180 કિ.ગ્રા. જો પરિવારમાં 5 લોકો હોય તો એક વર્ષમાં 900 કિ.ગ્રા. પરંતુ મનુષ્યે છેલ્લા 50 વર્ષમાં મંગળ પર 7119 કિલો કચરો છોડ્યો છે. લોકો ઘરનો કચરો સાફ કરે છે, પરંતુ મંગળનો કચરો કોણ સાફ કરશે?
યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર આઉટર સ્પેસ અફેર્સ (UNOOSA) અનુસાર, વિશ્વભરના 18 દેશોએ મંગળ પર મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલી 18 વસ્તુઓ મોકલી છે. આ તમામ 18 વસ્તુઓ અલગ અલગ 14 મિશનમાં મોકલવામાં આવી છે. આમાંના ઘણા મિશન હજી પણ કામ કરી રહ્યા છે. અમે દાયકાઓથી મંગળની શોધ કરી રહ્યા છીએ. પરંતુ આ વૈજ્ઞાનિક મિશનમાં માનવીએ લાલ ગ્રહની સપાટી પર ઘણો કચરો છોડી દીધો છે.
આ કચરામાં એટલા પ્રકારની વસ્તુઓ છે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. ધાતુના મોટા ટુકડાઓ, નેટ્સ, ખાસ પ્રકારના કપડા, ચળકતા કાચના ટુકડાઓ, કવર, ફિલામેન્ટ, સ્પ્રિંગ, નટ-બોલ્ટ વગેરે. આ પહેલીવાર નથી જ્યારે વૈજ્ઞાનિકોએ મંગળ પર કચરો શોધ્યો હોય. દરેક મિશન પછી, તેઓ ચોક્કસપણે ચિંતા વ્યક્ત કરે છે કે ત્યાં કચરો ફેલાઈ રહ્યો છે. હવે લોકો વિચારી રહ્યા છે કે મંગળ પર કોઈ રહેતું નથી. તો પછી આ કચરો ક્યાંથી આવે છે?
મંગળ પર કચરો ફેલાવાના ત્રણ મુખ્ય કારણો
મંગળ પર કચરાના ત્રણ મુખ્ય કારણો છે - ફેંકી દેવામાં આવેલા અથવા જાતે જ નકામા હાર્ડવેર, નકામા અવકાશયાન અથવા અવકાશ જે કોઈ કારણોસર મંગળ સાથે ટકરાયું હતું. મંગળ પરના દરેક મિશનની ઉપર એક મોડ્યુલ હોય છે, જે ત્યાંના વાતાવરણમાં ઉતરતી વખતે તેને સુરક્ષિત રાખે છે. આ મોડ્યુલ પણ કચરો બની જાય છે. તેમાં હીટ શિલ્ડ, પેરાશૂટ અને લેન્ડિંગ ક્રાફ્ટ હોય છે. જે અવકાશયાનને મંગળના વાતાવરણને પાર કરાવે છે. દરેક મિશન પછી ત્રણેય ભાગ ત્યાં જ રહી જાય છે.
બધા રોવર કચરો કરે છે
જ્યારે પણ આ કચરો મંગળની સપાટી પર પડે છે. ઝડપી અથડામણને કારણે તેઓ ઘણા ટુકડાઓમાં તૂટી જાય છે. તે સપાટી પર ચારે બાજુ વિખેરાયેલા રહે છે. નાસા દ્વારા મોકલવામાં આવેલા માર્સ પર્સિવરન્સ રોવર દરમિયાન પણ આવું જ થયું હતું. તેનું હીટ શિલ્ડ,પેરાશૂટ અને લેન્ડિંગ મોડ્યૂલ અલગ અલગ જગ્યાએ પડી ગયું હતું અને તૂટી ગયું હતું. આ ઉપરાંત ઘણા નાના નાના ટુકડા પણ ફેલાયેલા છે. તેઓ વર્ષોથી ફેલાઈ રહ્યા છે. જેમ કે નેટિંગ મટીરિયલ. એટલે કે ખાસ કરીને બનાવેલી જાળીઓ.
ઘણીવાર લોકો સામે કચરાના ફોટો આવ્યા છે
પર્સિવેન્સ રોવરે લેન્ડિંગ સાઇટથી લગભગ 2 કિમી દૂર એક ચમકતો થર્મલ બ્લેન્કેટ પણ જોયો. તે કેટલાક પથ્થરો વચ્ચે ફસાઈ ગઈ હતી. આ પહેલા 2012માં ક્યુંરીયોસિટી અને 2005માં ઓપોર્ચ્યુનિટી રોવર સાથે પણ આવું જ થયું. તેમની હીટશીલ્ડ, લેન્ડિંગ મોડ્યુલ અને પેરાશૂટ પણ અલગ અલગ જગ્યાએ પડ્યા હતા. તેમના ટુકડા પણ કચરાની જેમ ફેલાઈ ગયા હતા. જેની તસવીરો બાદમાં પણ લોકોની સામે આવતી રહેતી હતી.
નવ નકામા અવકાશયાન મંગળ પર કચરા તરીકે પડેલા છે
અત્યારે નવ નકામા અવકાશયાન મંગળની સપાટી પર કચરા તરીકે પડ્યા છે. એટલે કે હવે તેઓ કામ કરતા નથી. જેમાં માર્સ 3 લેન્ડર, માર્સ 6 લેન્ડર, વાઇકિંગ 1 લેન્ડર, વાઇકિંગ 2 લેન્ડર, સોજર્નર રોવર, બીગલ 2 લેન્ડર, ફિનિક્સ લેન્ડર અનેસ્પિરિટ રોવર અને તાજેતરમાં નકામી ઓપોર્ચ્યુનિટી રોવરનો સમાવેશ થાય છે. તે બધા હવે ત્યાં બંધ હાલતમાં પડેલા છે. તેઓ એક રીતે ત્યાં એક ઐતિહાસિક સંગ્રહાલય જેવા છે. ક્યુરિયોસિટીની હાલત વધુ ખરાબ થવાની છે કારણ કે ઘણી જગ્યાએથી તેના એલ્યુમિનિયમના પૈડાં તૂટી ગયા છે.
આસપાસ ફરતા અવકાશયાન પણ કચરો ફેલાવે છે
મંગળ પર પોતાનું જીવન પૂર્ણ કર્યા પછી, તેની સપાટી પર પડતા અવકાશયાન પણ કચરો ફેલાવે છે. તેઓ ઝડપથી વાતાવરણમાં પ્રવેશ કરે છે. ત્યારે તૂટી પડે છે અને તેઓ સપાટી પર પડે છે. કચરો તો ફેલાઈ રહ્યો છે. પરંતુ વૈજ્ઞાનિકો શા માટે નારાજ છે? કારણ કે ત્યાં પ્રદૂષણ નથી. ન તો એવો કોઈ માનવી હશે જેને કચરાની સમસ્યા હોય. તો આ અભ્યાસથી શું ફાયદો થશે?
આ કચરો ભવિષ્યના મિશન માટે જોખમી છે!
નાસાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ કચરા ભવિષ્યના મિશનને જોખમમાં મૂકે શકે છે. વળી, જે મિશન હાલ ત્યાં કામ કરી રહ્યા છે. તેઓ પણ ખતરામાં છે. આ કચરાને કારણે મિશનના સેમ્પલ, વાહનો અને અન્ય ટેકનિકલ વસ્તુઓ બગાડી શકે છે. કારણ કે મંગળ પર દરેક જગ્યાએ મિશન ઉતારી શકાતા નથી. મોટા ભાગનાં મિશન આસપાસ ઊતરી ગયાં છે. આવી સ્થિતિમાં, ભાવિ મિશનો પણ આસપાસ ઉતરશે. તેથી, આ ફેલાતો કચરો એક સમસ્યા બની શકે છે.