ગીર સોમનાથમાં સતત વરસાદના કારણે લીલા દુકાળ જેવી સ્થિતિ નિર્માણ પામી, સિઝનના અંતિમ પડાવમાં સતત છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં લીલા દુકાળ જેવી સ્થિતિ
ગીર સોમનાથના ખેડૂતોને ભારે નુકસાન
મગફળી,સોયાબીન,કપાસના પાકને નુકસાન
ગીર સોમનાથમાં સતત વરસાદના કારણે લીલા દુકાળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે તૌકતે વાવાઝોડાના સમયે ખેડૂતોએ આગોતરૂ આયોજન કરીને મગફળી,સોયાબીન,કપાસ સહિતના પાકોની વાવણી કરી હતી પરતું હાલમાં સિઝનના અંતિમ પડાવમાં સતત છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે
ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન
ખેડૂતોના મગફળી , કપાસ તથા સોયાબીનના પાકને પણ ભારે નુકસાન થયુ છે. એક અંદાજ મુજબ જિલ્લામાં ખેડૂતોને આશરે 30 થી 40 ટકા જેટલું પાકમાં નુકસાન પહોંચ્યું છે આમ ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થતા હાલ તો ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે.
વરસાદના કહેર ખેડૂતોના પાકને નુક્સાન
ગીર સોમનાથ જિલ્લામાં હવે વરસાદને કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોવાનાં દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાઉતે વાવાઝોડા સમયેનાં વરસાદ બાદ જે ખેડૂતોએ મગફળીની આગોતરા વાવણી કરી હતી તે મગફળીમાં પાછોતરા વરસાદ થતા ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.
યાબિન અને કપાસનાં પાકને પણ નુકસાન
હાલનાં વરસાદ બાદ મગફળી સોયાબિન અને કપાસનાં પાકને પણ નુકસાન થયું છે ગીર પંથકમાં પહેલા તાઉતે વાવાઝોડું અને બાદમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનાં હાલ બેહાલ થયા હતા.પરંતુ હવે સિઝનના અંતે પણ ખેડૂતોને કુદરતનો માર સહન કરવો પડી રહ્યો છે, સિઝનનાં અંતિમ સમયે વરસાદ કહેર બનીને ત્રાટકતા ખેડૂતોનાં મગફળી,સોયાબીન અને કપાસનાં પાકને મોટું નુકસાન થયું છે.
મગફળીમાં 30 થી 40 ટકા જેટલું નુકસાન
મહત્વનું છે કે જિલ્લામાં મોટે ભાગે મગફળીનો પાક તૈયાર થઈ ચૂક્યો અને તેને લણવો સમય આવ્યો હતો ખેડૂતોએ મગફળીને જમીનની બહાર તો કાઢી અને પોતાનાં ખેતરમાં સુકાવવા માટે પાથરા કર્યા એવામાં મગફળીનાં પાથરા સુકાઈને થ્રેસર સુધી પહોંચી તે પહેલા જ વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતોની હજારો હેકટરમાં પકવેલી મગફળીના પાક નુકસાની એડે ગયો છે. ગીર સોમનાથ જિલ્લામાં આગોતરી વાવેલી મગફળીમાં 30 થી 40 ટકા જેટલું નુકસાન થયું છે.
ખેડૂતોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી
આ તરફ ગીર સોમનાથ જિલ્લાનાં તાલાળા, વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર કે ઉના હોઈ તમામ તાલુકાનાં ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે..ઉપરાંત છેલ્લા 10 દિવસ વધુ થઈ ગયા છે.જો ખેડૂતો મગફળી ન કાઢે તો સડવા લાગે આથી ગીરનાં ખેડૂતોએ મગફળી ઉપાડી તેના પાથરા ખેતરમાં કર્યા ત્યાં જ ફરી વરસાદ ખાબક્યો આથી ખેડૂતોનાં હાથમાંથી મગફળીનો પાક તો ગયો પરંતુ પશુનો ચારાને પણ નુકસાન પહોંચ્યું છે સમગ્ર ગીર વિસ્તારમાં એક લાખ હેકટરમાં મગફળીનું વાવેતર છે જેમાં મોટા ભાગનું આગોતરૂ વાવેતર છે જો તે સમય સર ન લણે તો ખેડૂતો ના હાથ માં કશું ન બચે અને જો બહાર કાઢે તો વરસાદ બરબાદ કરી નાખે હાલ ખેડૂતોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે.