રાજ્યમાં એક પછી એક તકલીફો અટકવાનું નામ જ નથી લઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં પીરાણા રોડ પર આવેલ નંદન એક્ઝિમમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, જો કે આગ અંગે જાણકારી મળતા જ ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવ્યો હતો. અંતે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
અમદાવાદની નંદન ડેનિમ કંપનીમાં આગનો મામલો
નંદન ડેનિમ કંપનીમાં હજુ પણ આગ બેકાબૂ
15 ફાયરની ગાડીઓ આગ બૂજાવવા કામે લાગી
નોંધનીય છે કે, આગ લાગવાનું કારણ શોર્ટ સરકીટ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ નંદન ડેનિમ કંપની ચિરીપાલ ગૃપની કંપની હોવાનું સામે આવ્યું છે.
ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો યથાવત
ઉલ્લેખનીય છે કે,ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો યથાવત છે. સીએફઓ દસ્તુર, ડેપ્યુટી સીએફઓ મિસ્ત્રી તેમજ ખાડિયા, જમાલપુર અને અસલાલી ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. આગ બુઝાવતી વખતે એક ફાયર જવાન ઘાયલ થતા એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આગ પર મેળવાયો કાબૂ
અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલી નંદન ડેનિમ કંપનીમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે. આગમાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી...પરંતુ એક ફાયરબ્રિગેડનો જવાન ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયો છે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું છે.
થોડા સમયગાળા પહેલા આગ લાગી હતી ત્યારે 7 લોકોના થયાં હતા મોત
અમદાવાદના નારોલમાં આવેલી નંદમ ડેનિમ કાપડની ફેક્ટરીમાં આગ લાગતા 7 લોકોના મોત થયા હતા અને આ મામલે પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા જ્યોતિ ચિરીપલ, દીપક ચીરીપલ, બી.સી.પટેલ, એચ.એમ.પટેલ, રવિકાન્ત સિંહા, પી.કે.શર્મા, ડી.સી. પટેલ સામે ફરિયાદ દાખલ કરી હતી.