બનાસકાંઠાના થરાદમાં મહિલાઓ સામાજીક અંતર ભૂલી. દશામાના વ્રતના કારણે મોટી સંખ્યમાં મહિલાઓ એકઠી થઈ હતી. દશામાની મૂર્તિ લેવામાં મહિલાઓએ નિયમોનો ભંગ કર્યો હતો. મહિલાઓએ ન તો માસ્ક પહેર્યું હતું અને ન સામાજીક અંતર જાળવ્યું હતું જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. એક તરફ વિશ્વ આખુ કોરોના સામે જંગ લડી રહ્યું છે તેવામાં આવા દ્રશ્યો વધુ ચિંતા ઉપજાવે છે.