વેલેન્ટાઈન દિવસે પ્રેમ પ્રતીક હનુમાનજી મંદિરમાં લગ્નની લાઈનો
એક જ દિવસે 5 થી વધુ પ્રેમી યુગલ લગ્ન કરવા મંદિર પહોંચ્યા
અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લગ્ન થયા
પ્રેમના પ્રતીક રૂપ આ મંદિરનું અનેરું મહત્વ છે
સુખી લગ્નજીવનની ચાવી રૂપ હનુમાન દાદાના આશીર્વાદ
14 ફેબ્રુઆરી એટલે આજે વેલેન્ટાઈન ડે ના દિવસે અમદાવાદના એક મંદિરમાં લગ્ન કરવા માટે 5 કપલ એકસાથે પહોંચ્યા હતા. વાત જાણે એમ છે કે, આપણો સમાજ, ઘર કે પરિવાર મોટા ભાગે પ્રેમ લગ્ન કરનારને તિરસ્કારની નજરે જોવે છે. પરંતુ આવા પ્રેમી યુગલ આ હનુમાનિયા મંદિરમાં આવીને હનુમાનજીનાં આશિર્વાદ લઈને સાતેય ભવનાં બંધનમાં બંધાઈ જાય છે. આ મંદિરમાં આજના દિવસે 5 થી વધુ પ્રેમી યુગલ લગ્ન કરવા મંદિર પહોંચ્યા હતા. નોંધનીય છે કે, પ્રેમના પ્રતીક રૂપ આ મંદિરમાં અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લગ્ન થયા છે.
અમદાવાદનું લગનિયા હનુમાનજી (Laganiya Hanuman) મંદિર ઘણુ જાણીતું છે. આ મંદિરમા કોઈ જાતિ કે ધર્મ ભેદભાવ રાખવામાં આવતો નથી. કહેવાય છે કે, ભૂંકપ પછી આ મંદિરમાં પ્રેમલગ્નની પ્રથા શરૂ થઈ. આ પરિસરમાં પહેલાં કોર્ટ હતી. ત્યારે લોકો લગ્ન કરવા આવતા હતાં. ત્યાર બાદ કોર્ટેને બીજે સ્થળે ખસેડવામાં આવી અને પ્રેમ લગ્નની જવાબદારી હનુમાનજીએ લીધી.
વેલેન્ટાઈન દિવસે પ્રેમ પ્રતીક હનુમાનજી મંદિરમાં લગ્નની લાઈનો
આજે વેલેન્ટાઈન દિવસે આ હનુમાનજી મંદિરમાં એક જ દિવસે 5 થી વધુ પ્રેમી યુગલ લગ્ન કરવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે, પ્રેમના પ્રતીક રૂપ આ મંદિરનું અનેરું મહત્વ હોઇ અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લગ્ન થયા છે. હનુમાન દાદાના આશીર્વાદ સુખી લગ્નજીવનની ચાવી રૂપ માનવામાં આવે છે.
અહીની માન્યતા એવ છે કે, જે પ્રેમી યુગલ આ મંદિરમાં લગ્ન કરે તેનું દામ્પત્ય જીવન સુખી હોય અને તેનાં સંસારમાં કોઈ મુશ્કેલીઓ પડતી નથી. ભગવાનનાં આ આશિર્વાદ મેળવવા જુદા-જુદા રાજ્યોમાંથી લોકો લગ્ન કરવા છેક અહીં આવે છે. અમદાવાદ માં લગનિયા હનુમાનજીનું મંદિર ખુબ જ જાણીતું છે. પ્રેમી યુગલ પ્રેમ વિવાહ કરવા ઘરથી ભાગી જવાના બદલે હનુમાનજીનાં આશિર્વાદ લઈને લગ્ન કરીને સુખી દામ્પત્ય જીવનની શરૂઆત કરે છે.