આપણે બધા જાણીએ છીએ કે દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસના દિવસે શરૂ થાય છે અને ભાઈ દૂજના દિવસે સમાપ્ત થાય છે.
દિવાળીના પાંચ દિવસનો તહેવાર શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા
જાણો ધનતેરસ 2022 તારીખ અને શુભ મુહૂર્ત
દિવાળી 2022 તારીખ અને શુભ મુહૂર્ત
દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આપણા ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે અને તેના બીજા દિવસે કારતક મહિનાની શરૂઆત થાય છે અને ગુજરાતીઓના નવા વર્ષની પણ શરૂઆત થાય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસના દિવસે શરૂ થાય છે અને ભાઈ દૂજના દિવસે સમાપ્ત થાય છે. ચાલો આ પાંચ દિવસના તહેવારોની તારીખો અને શુભ સમય વિશે વિગતવાર જાણીએ.
ધનતેરસ 2022 તારીખ અને શુભ મુહૂર્ત
ધનતેરસનો તહેવાર આસો મહિનાની તેરસ પર ઉજવવામાં આવે છે. ધનતેરસને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવતાઓના વૈદ્ય ભગવાન ધન્વંતરિની જન્મજયંતિ પણ આ દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે સોનું, ચાંદી અને અન્ય વસ્તુઓની ખરીદી કરવી ફાયદાકારક માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે લોકો મૂંઝવણમાં છે કે 22 કે 23 ઓક્ટોબરે કયા દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવો. નોંધનીય છે કે ત્રયોદશી તિથિના પ્રદોષ સમયગાળામાં દેવી લક્ષ્મીની પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે. આ વર્ષે ત્રયોદશી તિથિમાં પ્રદોષ કાળમાં 22 ઓક્ટોબરે લક્ષ્મી પૂજાનો શુભ મુહૂર્ત આવી રહ્યો છે. જેના કારણે 22 ઓક્ટોબરે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ધનતેરસ 22 ઓક્ટોબર શનિવારના રોજ સાંજે 6:02 કલાકથી શરૂ થઈને બીજા દિવસે 23 ઓક્ટોબરના રોજ સાંજે 6:03 કલાકે પૂરી થશે. 22 ઓક્ટોબરે ધનતેરસ પૂજાનો શુભ સમય સાંજે 7:01 કલાકે થી શરૂ થશે અને રાત્રે 8:17 કલાક સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે શુભ સમયે લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.
આ વર્ષે ધનતેરસ પર ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. આ યોગમાં કરેલા કાર્યમાં સફળતા મળવાથી ત્રણ ગણું ફળ મળવાની માન્યતા છે. ધનતેરસના દિવસે બપોરે 1.50 થી સાંજે 6.02 વાગ્યા સુધી ત્રિપુષ્કર યોગ રહેશે.
કાળી ચૌદશ 2022 તારીખ અને શુભ મુહૂર્ત
નરક ચતુર્દશી અથવા કાળી ચૌદશ આસો મહિનાની ચૌદશ પર આવે છે. પશ્ચિમ બંગાળમાં કાળી ચૌદશ ઉજવવામાં આવે છે. આ દિવસે માન્યતા છે કે શ્રી કૃષ્ણ દ્વારા નરકાસુરનો વધ કરવામાં આવ્યો હતો. તેથી જ આપણે આ દિવસે નરક ચતુર્દશી ઉજવીએ છીએ. જો કે આ વર્ષે કાળી ચૌદશની પૂજા 23 ઓક્ટોબરની રાત્રે કરવામાં આવશે અને 24 ઓક્ટોબરે દિવાળીની સાથે કાળી ચૌદશ પણ ઉજવવામાં આવશે.
દિવાળી 2022 તારીખ અને શુભ મુહૂર્ત
ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળીને સુખ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે મા લક્ષ્મી પોતાના ભક્તો પર વિશેષ આશીર્વાદ આપે છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ લંકાપતિ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન રામના 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ આખી અયોધ્યાને દીવાઓથી શણગારી હતી અને એ દિવસથી સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી શરૂ કરવામાં આવે હતી.
આ વર્ષે દિવાળી 24 અને 25 ઓક્ટોબર એમ બે દિવસ ઉજવવામાં આવી રહી છે. પણ 25 ઓક્ટોબરે અમાસની તિથિ પ્રદોષકાળ પહેલા સમાપ્ત થઈ રહી છે. 24 ઓક્ટોબરણઆ રોજ પ્રદોષ કાળમાં અમાસની તિથિ હશે. એટલા માટે આ વર્ષે 24મી ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.
ગોવર્ધન પૂજા 2022 તારીખ અને શુભ મુહૂર્ત
ગોવર્ધન પૂજા અથવા અન્નકૂટનો તહેવાર દીપાવલીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગોવર્ધન પૂજા 26 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. કારણ કે દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ છે એટલા માટે ગોવર્ધન પૂજા એક દિવસ પછી ઉજવવામાં આવશે. માન્યતા છે કે ભગવાન કૃષ્ણએ ઇન્દ્રના અભિમાનનો નાશ કરવા અને ગોકુલના લોકોનું રક્ષણ કરવા માટે ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉપાડ્યો હતો. ત્યારથી ગોવર્ધનની પૂજા થાય છે.
ભાઈ બીજ 2022 તારીખ અને શુભ મુહૂર્ત
કારતક માસની બીજની તિથિએ ભાઈ દૂજનો તહેવાર ઉજવવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે ભોજન કરવા ગયા હતા એ સમયે તેને યમુનાને વરદાન આપ્યું હતું કે આ દિવસે જે પણ ભાઈ તેની બહેનના ઘરે જશે તેને મૃત્યુનો ભય રહેશે નહીં. આ વર્ષેભાઈ બીજ 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાના દિવસે જ ઉજવવામાં આવશે.