કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગુરુવારે રસીની અછતની ફરિયાદ કરનારા રાજ્યો પર નિશાન સાધતા આંકડા રજૂ કર્યા છે.
અછતની ફરિયાદની વચ્ચે રસીની નિકાસ ચર્ચાનો વિષય બન્યો છે
ડોક્ટર હર્ષ વર્ધને આંકડા રજૂ કર્યા
4.3 કરોડથી વધારે રાજ્યોમાં ડિલીવરી થવાની છે
હર્ષવર્ધને રસીની અછતની ફરિયાદ કરનારા રાજ્યો પર નિશાન સાધ્યું
કેટલાક રાજ્યો અને કેન્દ્ર સરકારની વચ્ચે રસીની અછત અને સ્ટોકને લઈને વિવાદ વધી રહ્યો છે. તેવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગુરુવારે રસીની અછતની ફરિયાદ કરનારા રાજ્યો પર નિશાન સાધ્યું છે. સાથે એમ પણ સ્પષ્ટ કર્યુ છે કે રસીની ફાળવણીની ફરિયાદ કરનારા મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના 3 રાજ્યો છે. જેમાંથી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન નથી. ગત દિવસોમાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ગુજરાતની સાથે રાજ્યને મળનારી રસીના જથ્થાની સરખામણી કરી હતી.
ડોક્ટર હર્ષ વર્ધને આંકડા રજૂ કર્યા
આ દરમિયાન ડોક્ટર હર્ષ વર્ધને આંકડા રજૂ કર્યા છે. તેમણે જાણકારી આપી છે કે કેન્દ્રની પાસે હવે 2.4 કરોડ સ્ટોકમાં છે અને 4.3 કરોડ રસી પ્રાપ્ત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે તમામ રાજ્યો માટે પર્યાપ્ત રસી ઉપલબ્ધ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેટલાક રાજ્યોએ કેન્દ્ર સરકારનો પક્ષપાતને લઈને વિરોધ કરવો એક માત્ર દેખાડો છે. આ તેમની નિષ્ફળતાને છુપાવવાનો પ્રયાસ છે. કોવિડ 19 રસી ડોઝની ફાળવણીના આધાર પર મહારાષ્ટ્ર અને રાજસ્થાન મુખ્ય 3માંથી 2 રાજ્યો છે. બન્નેમાં ભાજપનું સાશન નથી.
4.3 કરોડથી વધારે રાજ્યોમાં ડિલીવરી થવાની છે
તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 9 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે . ત્યારે 4.3 કરોડથી વધારે રાજ્યોમાં ડિલીવરી થવાની છે. તેમણે સવાલ ઉઠાવ્યા પણ હવે અછતનો સવાલ ક્યાં ઉઠે છે. અમે સતત સપ્લાય પર નજર રાખી રહ્યા છીએ અને તેને સારુ બનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. બુધવારે વર્ધને મહારાષ્ટ્ર અને કેટલાક અન્ય રાજ્યો પર અસફળતા છુપાવવા અને રસીની માંગ કરી લોકોની વચ્ચે ડર ફેલાવવાનો આરોપ મુક્યો હતો.
રસીની અછતની ફરિયાદ નિરાધાર છે
તેમણે કહ્યુ છે કે રસીની અછતની ફરિયાદ નિરાધાર છે. મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાં ટેસ્ટિંગ અને કેન્ટોનમેન્ટ રણનીતિ અને રસીકરણ ડ્રાઈવને સારી રીતે લાગૂ કરવાની જરુર છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારનું ઉદાસીન વલણ વાયરસ સામે લડવાના સમગ્ર દેશના પ્રયાસને અસર કરી રહ્યું છે.
અછતની ફરિયાદની વચ્ચે રસીની નિકાસ ચર્ચાનો વિષય બન્યો છે
ગુરુવારે વિદેશ મંત્રાલયે આ વાત પર ભાર મુક્યો છે કે ભારતે કોરોના વાયરસની રસીની નિકાસ પર બેન નથી લગાવ્યો. મંત્રાલયે કહ્યું છે કે દેશમાં ઘરેલૂ જરુરિયાતોનું ધ્યાન રાખતા મેડ ઈન ઈન્ડિયા વેક્સીનને વિદેશ મોકલવાનું ચાલુ રહેશે. ખાસ કરીને રાજ્યોમાં અછતની ફરિયાદની વચ્ચે રસીની નિકાસ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે કેન્દ્રએ કહ્યુ છે કે રાજ્યોને પુરતી માત્રામાં રસી આપવામાં આવી છે અને આમાંથી અનેક રાજ્યોના તમામ લાભાર્થીઓને રસી લગાવવા સક્ષમ નથી.