ચૂંટણી આયોગએ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. 7 તબક્કામાં થનારી લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થઇને 19 મે સુધી ચાલશે, જ્યારે મતગણતરી 23મેના થશે. આ વખતે કુલ 90 કરોડ મતદાતાઓ ચૂંટણીમાં ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. તારીખોની જાહેરાત પહેલાથી જ તમામ રાજનીતિક પાર્ટીઓ પ્રચાણમાં જોડાયેલી છે. આ જ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સતત ચૂંટણી પ્રવાસ કરતા જોવા મળ્યા. જાણીએ ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કેવી રહ્યો PM મોદીની એક મહિનો
ચૂંટણીની જાહેરાતના એક વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ દરેક દિવસે ચૂંટણી યાત્રા કરી, તેમણે ફેબ્રુઆરીથી લઇને 10 માર્ચ સુધી દેશભરમાં કુલ 28 યાત્રાઓ કરી.
પ્રધાનમંત્રી 28 યાત્રાઓમાં કુલ 17 રાજ્યોમાં પહોંચ્યા. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને આધ્ર પ્રદેશ સૌથી મહત્વપૂર્ણ રહ્યા. આકંડાઓ પર નજર રાખી તમામ રાજ્યોમાં 2014ના લોકસભા ચૂંટણીમાં NDAને 80માંથી 73 સીટ મળી હતી.
જ્યારે આંધ્ર પ્રદેશમાં પ્રધાનમંત્રીના પ્રવાસ પણ મહત્વપૂર્ણ રહ્યો કેમકે ત્યાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણી થવાની છે. હાલમાં રાજ્યમાં તેલૂગુ દેશમ પાર્ટીની સરકાર છે અને એન.ચંદ્ર બાબુ નાયડૂ મુખ્યમંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીને 117 સીટ મળી. જ્યારે YSR કોંગ્રેસને 70 સીટ, ટીઆરએસને 63 અને કોંગ્રેસને 22 સીટ મળી. જ્યારે ભાજપને માક્ષ 9 સીટથી જ સંતોષ માનવો પડ્યો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં મોદીએ 157 પ્રોજેક્ટના શિલાન્યાસ કે ઉદઘાટન કર્યા. છેલ્લા 20 દિવસમાં જ 2 લાખ કરોડ રૂ.ના 50થી વધુ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી. તેમાં પ્રધાનમંત્રી ખેડૂત યોજના હેઠળ અપાનારા વાર્ષિક 75 હજાર કરોડ રૂ. પણ સામેલ છે. અમેઠીની રાઇફલ ફેક્ટરી, બિહારને 33 હજાર કરોડની સહાય અને ઇન્ડિયા ગેટ પર દેશના પ્રથમ વૉર મેમોરિયલનું ઉદઘાટન પણ સામેલ છે.
PM મોદીએ 8 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી વચ્ચે 57 પ્રોજેક્ટ લૉન્ચ કર્યા હતા. તે પછીના 4 અઠવાડિયામાં તેનાથી ત્રણ ગણા પ્રોજેક્ટ લૉન્ચ કર્યા. જોકે, યુપીએ-2માં પણ ચૂંટણીની જાહેરાત પહેલા દોડધામ જોવા મળી હતી.