માનવ સંશાધન વિકાસ મંત્રાલયે કેન્દ્રીય યોજનામાં ભ્રષ્ટાચાર પર સવાલ ઉઠાવ્યા છે. 2 કરોડ રૂપિયાના ફંડનો દુરઉપયોગ કરવાનો આરોપ છે. આરોપમાં કહેવામાં આવ્યું છે કે, 1.2 કરોડ રૂપિયાના ટેક્સી બિલ જાતે જ બનાવી દીધા છે આ બાબત ઓડિટ દરમિયાન જાણવા મળી હતી. મંત્રાલય આ મામલે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યું છે.
કેન્દ્રીય યોજનામાં ભ્રષ્ટાચાર પર ઉઠ્યા સવાલ
2 કરોડના ફંડનો કરાયો દુરઉપયોગ
1.2 કરોડના ટેક્સી બિલ જાતે જ બનાવી દેવાયા
મંત્રાલયના એક પૂર્વ સંયુક્ત સચિવ અને ટાટા ઇન્ટટ્યૂટ ઓફ સોશિયલ સાઇન્સ(TISS)ના એક પ્રોફેસર દ્વારા રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન(RUSA)માં કામકાજમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે પ્રધાનમંત્રી કાર્યાલયનો સંપર્ક કર્યો છે.
TISSના રિપોર્ટમાં વાત આવી સામે
TISSએ ગત વર્ષનું ઓડિટ કર્યું હતું. ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો કે, ભારત અને વિદેશમાં ઇશિતા રોય અને તેમના બાળકોના વ્યક્તિગત પ્રવાસ પર કથિત રીતે રૂસા ફંડથી 23 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.
1991 બેંચના IASએ કર્યો ગોટોળા
કેરલ કેડરના 1991 બેંચના IAS અધિકારી રોય માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં સંયુક્ત સચિવના રૂપે રૂસાના રાષ્ટ્રીય મિશનના નિર્દેશક હતા. તેમણે સાત મહિના પહેલા મંત્રાલય છોડી દીધું અને હાલ કેરળમાં પ્રમુખ સચિવ તરીકે કાર્ય કરી રહ્યા છે.
ઓડિટમાં થયો ખુલાસો
ઓડિટમાં જાણવા મળ્યું છે કે, રૂસાના રાષ્ટ્રીય સમન્યવક બી વેંકટેશ કુમારે કથિત રીતે 2.2 કરોડનો ગોટાળો કર્યો છે. તે ખર્ચાઓને સાચા દેખાડવા માટે તેમણે 1.26 કરોડ રૂપિયાના ટેક્સી બિલ જાતે જ બનાવ્યા છે.
ઓગસ્ટ 2019માં ફટકારવામાં આવી નોટિસ
કુમાર ટિસ્સમાં સેન્ટર ફોર પબ્લિક પોલીસી એન્ડ ગવર્નન્સ, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ લેબર સ્ટડીઝના અધ્યક્ષ છે. તેમણે 27 જુલાઇ 2019ના રૂસા કોઓર્ડિનેટરના પ્રભારથી મુક્ત કરવામાં આવ્યા છે. સંસ્થાને તેમને ઓગસ્ટ 2019માં કારણ બતાવો નોટીસ ફટકારી છે.