કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંકે' દાવો કર્યો છે કે પરમાણુ અને અણુની શોધ ચરક ઋષિએ કરી હતી. સાથે જ એમણે કહ્યું કે નાસા (NASA) કહી રહ્યુ્ં છે કે જો નજીકના ભવિષ્યમાં ચાલતુ ફરતુ કોમ્પ્યૂટર શક્ય બન્યું તો એ સંસ્કૃતને કારણે જ સંભવ બનશે.
નાસા એવું એટલા માટે કહી રહ્યું છે કે કેમકે આ એક વૈજ્ઞાનિક ભાષા છે અને જેમા શબ્દોને ઠીક એ રીતે લખવામાં આવે છે જે રીતે તેને બોલવામાં આવે છે.
આઇઆઇટી-બોમ્બેના 57માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિના રૂપે સંબોધિત કરતા પોખરિયાલે આમ દાવો કર્યો છે. એમણે કહ્યું છે કે પરમાણુ અને અણુની શોધ ચરક ઋષિે કરી હતી. મંત્રીએ કહ્યું કે પરમાણુઓ અને અણુઓ પર શોધ કોણે કરી? જેણે પરમાણુઓ અને અણુઓ પર શોધ કરી, તેની શોધ ચરક ઋષિએ કરી હતી.
સંશોધન પર GDPનો 0.7 ટકા ખર્ચ
ભારતમાં સંશોધન અને વિકાસ પર ખર્ચ ગત એક દાયકામાં કુલ ઘરેલૂ ઉત્પાદન (GDP)ના 0.7 ટકા રહ્યું. આ જાણકારી 22 જુલાઇએ લોકસભામાં આપવામાં આવી હતી. ઇઝરાયલ, ચીન અને બ્રાઝીલની તુલનામાં આ ખર્ચ ઘણો ઓછો છે જ્યાં સંશોધન અને વિકાસ પર ખર્ચ જીડીપીના ક્રમશ: 4.3 ટકા, 2 ટકા અને 1.2 ટકા રહ્યું છે. માનવ સંસાઘન વિકાસ મંત્રી પોખરિયાલે લેખિત જવાબમાં બતાવ્યું હતું કે ખાનગી ક્ષેત્ર દ્વારા ઓછા રોકાણ કરવાને કારણે આરએન્ડડીમાં રોકાણ ઓછુ થયું છે.