વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાના સપ્તાહોથી ચાલી રહેલા ભ્રમ બાદ માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું છે કે સ્કૂલો અને કોલેજોને ઓગસ્ટ 2020 બાદ ફરીથી ખોલવામાં આવશે. સંભવત: 15 ઓગસ્ટ 2020 બાદ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી જશે.
માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકનું એલાન
સ્કૂલો અને કોલેજો સંભવત: 15 ઓગસ્ટ 2020 બાદ ફરી ખુલી જશે
ડૉ. રમેશ પોખરિયાલે એક ઇન્ટરવ્યૂમાં આમ વાત કહી. તેઓએ કહ્યું, 15 ઓગસ્ટ સુધી તમામ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવાની કોશિશ કરી રહ્યા છે.
આ સંબંધમાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકને સ્કૂલો ફરી ખોલવાની યોજના પર પત્ર લખ્યો હતો. આ વાતની જાણકારી કાલે ટ્વિટના માધ્યમથી આપી હતી.
તેઓએ પોતાના પત્રમાં લખ્યું હતું, સમય આવી ગયો છે કે કોરોના વાયરસના સહઅસ્તિત્વને સ્વીકાર કરતા દેશમાં સ્કૂલોની ભૂમિકા નવી રીતે નક્કી કરવામાં આવે.
આ સાથે તેઓએ લખ્યું, સ્કૂલોને સાહસિક ભૂમિકા માટે તૈયાર ન કરવામાં આવી તો આ આપણી ઐતિહાસિક ભૂલ હશે, સ્કૂલોની ભૂમિકા પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ બાળકોને જવાબદાર જીવન જીવવા માટે તૈયાર કરવાની હશે.
કોરોના વાયરસથી દિલ્હીની તમામ સ્કૂલો-કોલેજ માર્ચ મહીનાથી બંધ છે. એવામાં ઓનલાઇન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ એક વાત એ પણ છે કે વિદ્યાર્થીઓના અભ્યાસનું પણ નુકશાન થઇ રહ્યું છે.
ક્યારે થશે બાકી રહેલી પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષા
CBSE બોર્ડ પરીક્ષા 1 જુલાઇથી 15 જુલાઇ સુધી આયોજિત કરાશે. ICSE/ISC પરીક્ષા 1 જુલાઇથી શરૂ થઇને 12 જુલાઇ સુધી ચાલશે.
NEET અને JEEની પરીક્ષા જુલાઇમાં યોજાશે. NEETની પ્રવેશ પરીક્ષા 26 જુલાઇ અને JEEની પ્રવેશ પરીક્ષા 18 જુલાઇથી 23 જુલાઇ સુધી હશે.