વિદેશમાં પ્રધાનમંત્રી મોદીનો જલવો એક વાર ફરી સમગ્ર દુનિયા જોશે. મોકો છે 22 સપ્ટેમ્બરનાં રોજ હ્યૂસ્ટનમાં 'Howdy Modi' કાર્યક્રમમાં 50 હજારથી પણ વધારે ભારતીયોને પ્રધાનમંત્રી મોદી સંબોધિત કરશે. આ કાર્યક્રમ પાછળ ફરી વાર તે જ શખ્સ છે વિજય ચોથાઇવાલે (Vijay Chauthaiwale). જેઓ અનેક દેશોમાં પ્રધાનમંત્રી મોદી માટે ધમાકેદાર આયોજન કરી ચૂક્યાં છે.
22 સપ્ટેમ્બરનાં રોજ હ્યૂસ્ટનમાં યોજાશે PM મોદીનો 'હાઉડ મોદી' કાર્યક્રમ
એક વાર ફરી સમગ્ર વિશ્વમાં વાગશે PM મોદીનો ડંકો
વિદેશમાં મોદીનાં તમામ કાર્યક્રમોનું આયોજન કરે છે વિજય ચોથાઇવાલે
હ્યૂસ્ટનમાં 'Howdy Modi' (હાઉડી મોદી) કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે વિજય ચોથાઇવાલેએ ત્યાંના ભારતીયો સાથે સંપર્ક માટે ખૂબ પરસેવો વહાવ્યો છે. કાર્યક્રમમાં સીટ બુક કરાવવા માટે તેઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરાવી છે. અત્યાર સુધી 50 હજારથી પણ વધારે લોકોનું રજિસ્ટ્રેશન થઇ ચૂક્યું છે.
કોણ છે વિજય ચોથાઇવાલે?
વિજય ચોથાઇવાલે (Vijay Chauthaiwale) આ સમયે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)નાં વિદેશ મામલાઓનાં સેલનાં પ્રભારી છે. અપ્રવાસી ભારતીયોને બીજેપી જોડવાનાં મિશન સાથે જોડાયેલા છે. દુનિયામાં જ્યાં ક્યાંય પણ પ્રધાનમંત્રી મોદીની મુલાકાત હોય છે ત્યાં અનેક મહીનાઓ પહેલાં જ પહોંચીને કેમ્પેનિંગ કરે છે. ત્યાંના ભારતીયો સાથે જોડાયેલા તમામ નાના-મોટા સંગઠનો સાથે સંપર્ક કરીને તેઓને પીએમ મોદીનાં કાર્યક્રમમાં આવવા માટે તૈયાર કરે છે.
2014ની લોકસભા ચૂંટણી દરમ્યાન એનઆરઆઇની વચ્ચે મોદીની લોકપ્રિયતા વધારવામાં વિજય ચોથાઇવાલેએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. વિદેશોમાં અનેક કાર્યક્રમોને આધારે તેઓએ ચૂંટણી દરમ્યાન મોદીનાં પક્ષમાં માહોલ બનાવ્યો હતો. વિદેશમાં મોદીની લોકપ્રિયતાની અસર ભારતનાં મતદાતાઓ પર પણ પડી હતી.
ભાજપ સાથે જોડાતા પહેલા તેઓ સાઇન્ટિસ્ટ (મૉલીક્યૂલર બૉયોલૉજિસ્ટ) કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરતા હતાં. સૂત્ર જણાવે છે કે જ્યારે 2014ની સામાન્ય ચૂંટણી ખતમ થઇ તો તેઓ ફરીથી કોર્પોરેટ સેક્ટરમાં પરત આવવા ઇચ્છતા હતાં. પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેઓને પાર્ટી તરફથી વિદેશ વિભાગ સેલ જોવાની જવાબદારી ઑફર કરી તો પછી તેઓ હવે પૂર્ણકાલિક પદાધિકારી થઇ ગયાં. ભાજપની નેશનલ એક્ઝીક્યૂટિવમાં પણ વિજય ચોથાઇવાલેને જગ્યા મળી છે.
PM મોદી માટે કરાવી ચૂક્યાં છે અનેક મોટા કાર્યક્રમો
મે 2014માં મોદી પ્રધાનમંત્રી બન્યાં તો સપ્ટેમ્બરમાં અમેરિકાની મુલાકાતે ગયા હતાં. આ દરમ્યાન સપ્ટેમ્બરમાં પ્રધાનમંત્રી મોદીએ જ્યારે પ્રખ્યાત મેડિસિન સ્ક્વૅર પર હજારો ભારતીયો-અમેરિકીઓને સંબોધિત કર્યા તો દુનિયાએ જલવો જોયો હતો. મેડિસિન સ્ક્વૅર પર મોદી-મોદીનાં સૂત્રો ગુંજ્યા હતાં. આ કાર્યક્રમમાં ભેગી થયેલી ભીડ જોઇને પીએમ મોદી પણ અભિભૂત થઇ ગયા હતાં. બાદમાં તેઓએ ટ્વિટ કરીને પ્રજાનો આભાર માન્યો હતો. આ મુલાકાત દરમ્યાન સિલિકોન વેલીમાં પીએમ મોદીએ ગૂગલ, એપલ, માઇક્રોસૉફ્ટ, ટેસ્લા, ફેસબુક જેવી દિગ્ગજ કંપનીઓનાં સીઇઓ સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમ પણ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયાનાં સમાચારોમાં ખૂબ ચર્ચિત રહ્યો હતો.