કોરના વાયરસના કારણે અર્થવ્યવસ્થાને થનાર નુકસાન સામે પહોંચી વળવા માટે કેટલીય કેન્દ્રીય બેંકોએ વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ભારતીય રિઝર્વ બેંકે યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં વ્યાજદરોમાં ઘટાડાના કોઇ સંકેત આપ્યા નહોતા.
RBI ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજદર ઘટવાના ન આપ્યા સંકેત
LTRO દ્વારા થશે EMIમાં ઘટાડો
જો કે, RBI ગવર્નર શક્તિકાંત દાસે રેટ ઘટાડવાને લઇને ઇશારો કરતા કહ્યું કે, આગામી MPC બેઠકમાં જરૂરી નિર્ણય લેવામાં આવી શકે છે. પરંતુ અમે આપને જણાવી દઇએ કે, LTRO પર RBIના નિર્ણયથી કેવી રીતે EMIમાં થઇ શકે છે ઘટાડો તે જાણવું જરૂરી છે.
શું છે LTRO?
લોન્ગ ટર્મ રેપો ઓપરેશન એ એક એવું ટૂલ છે જેના હેઠળ રિઝર્વ બેંક હાલના રેપો દરે 1 થી 3 વર્ષ માટે બેન્કોને મૂડી પૂરી પાડે છે. બદલામાં, બેંકો સરકારી સિક્યોરિટીઝને કોલેટરલ તરીકે સમાન વ્યાજ દરે ખરીદે છે.
LTRO કેમ છે મહત્વપૂર્ણ
આરબીઆઈએ ફેબ્રુઆરી 2019 થી વ્યાજ દરમાં સતત ઘટાડો કર્યો છે. જો કે, ડિસેમ્બર 2019 અને ફેબ્રુઆરી 2020 ની બેઠકમાં RBI MPCએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, બેંકોએ અગાઉના રેપો રેટ ઘટાડામાં કેટલાક ફાયદા આપ્યા હતા. આરબીઆઈએ ગત 6 બેઠકોમાં વ્યાજ દરમાં 135 બેસિસ પોઇન્ટ એટલે કે 1.35 ટકાનો ઘટાડો કર્યો છે. પરંતુ એસબીઆઈની વેબસાઇટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને એમસીએલઆરમાં ફક્ત 65 બેસિસ પોઇન્ટ એટલે કે 0.65 ટકાનો લાભ આપ્યો છે.
આરબીઆઈ ફેબ્રુઆરી-20 માં LTRO લાવી
ગ્રાહકોને દરનો લાભ આપવા માટે આરબીઆઈ 2020 ના ફેબ્રુઆરીમાં LTRO લાવી. એલટીઆરઓ સિસ્ટમ હેઠળ, આરબીઆઈનું માનવું છે કે જો તેઓ વર્તમાન વ્યાજ દરે લાંબા સમય સુધી લિક્વીડિટી આપે તો તેઓ ગ્રાહકોને વ્યાજ દરમાં ઘટાડાનો લાભ આપશે. રિટેલ અને ઔદ્યોગિક લોન આપતી વખતે બેંકો તેમનું માર્જિન જાળવી રાખશે.
આપને EMI પર શું અસર પડશે ?
રિટેલ લોન લેનારા ગ્રાહકો માટે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તેમની ઈએમઆઈ ઓછી થશે? તેમની આશા એવી પણ છે કારણ કે તેમને હજી સુધી વ્યાજ દરમાં સતત ઘટાડાનો સંપૂર્ણ લાભ મળ્યો નથી. આ બાબત સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે એલટીઆરઓ સિસ્ટમ શરૂ થયા બાદ બેંકોને પૂરતી લિક્વિડિટી મળશે. આવી સ્થિતિમાં, બેંકો તેમના ગ્રાહકોને કાર અથવા હોમ લોન માટે ઓફર આપી શકશે. આ બંને એમસીએલઆર સાથે જોડાયેલા છે. આશા રાખવામાં આવે છે કે આરબીઆઈના એલટીઆરઓ સાથે બેંકોના ઓછા ખર્ચવાળા ભંડોળમાં વધારો થશે અને તેના બદલે તેઓ ગ્રાહકોને ઓછા વ્યાજે લોન આપવાનું શરૂ કરશે. આ રીતે છૂટક લોન લેનારા ગ્રાહકોની EMI ઓછો થશે.