જો તમે એવું વિચારતા હોવ કે નહાવાની સાચી અને ખોટી રીત શું હોઈ શકે અને તમે ગમે તેમ સ્નાન કરી શકો છો તો તમે ખોટું વિચારો છો. ખાવાપીવાની અને સૂવાની જેમ નહાવાની પણ એક રીત હોય છે. જેને ફોલો ન કરવામાં આવે તો કેટલીક ગંભીર બીમારીનો ખતરો વધી શકે છે. જી હાં, તો આજે જાણી લો નહાવાની ખોટી રીતથી કયા રોગોનો ખતરો વધી શકે છે.
નહાવાની ખોટી રીત
ઘણાં લોકોની આદત હોય છે કે બાથરૂમમાં જતાં શાવરની નીચે ઊભા થઈ જાય છે અથવા તો ટબલરમાં પાણી ભરી સૌથી પહેલાં સીધું માથા પર પાણી નાખે છે. નહાવાની આ રીત એકદમ ખોટી છે અને તેનાથી બ્રેન સ્ટ્રોક અને અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
લોહીનો પ્રવાહ શરીરમાં ઉપરથી નીચે
આપણાં શરીરમાં લોહીનો પ્રવાહ ઉપરથી નીચે તરફ થાય છે. એવામાં જો તમે ડાયરેક્ટ માથા પર ઠંડુ પાણી નાખો છો તો માથામાં રહેલી લોહીની નળીઓ સંકોચાવા લાગે છે અને બ્લડ ક્લોટ્સ પણ થઈ શકે છે. જેથી નહાતી વખતે ક્યારેય પહેલાં માથા પર પાણી નાખવું નહીં.
નસ ફાટવાનો ખતરો
માથા પર ડાયરેક્ટ પાણી નાખવાથી માથું ઠંડુ થવા લાગે છે. જેના કારણે હાર્ટને માથા તરફ ઝડપથી બ્લડ મોકલવું પડે છે. જેના કારણે હાર્ટ એટેક અથવા મગજની નસ ફાટી જવાની સમસ્યા થઈ શકે છે. જેથી સૌથી પહેલાં પગ પર પાણી નાખો, ત્યારબાદ જાંઘ, પેટ, ખભાથી થતાં છેલ્લે માથા પર પાણી નાખવું.