બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉનાળામાં તમે અને તમારા વાહન કઇ રીતે રહેશો? સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

ગાઇડલાઇન / ઉનાળામાં તમે અને તમારા વાહન કઇ રીતે રહેશો? સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

Last Updated: 11:03 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના નાગરીકોએ વાહન માટે નિયત કરેલ હવાનું દબાણ બધા ટાયરમાં તપાસવું જોઈએ. નાગરીકોએ ગરમીની ઋતુમાં વાહનના ટાયર ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વાહનો નિયત કિલોમીટર અથવા વાહનોના ટાયરને વધુ વર્ષ પૂરા થઇ ગયા હોય તો વાહનોના ટાયર બદલવા જોઈએ.

ઉનાળાની વિપરીત અસરોને ધ્યાને રાખીને રોડ સેફટી ઓથોરીટી દ્વારા વાહન અને વાહન ચાલકની સુરક્ષા અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહન અને વાહન ચાલક ખૂબ પ્રભાવિત થાય છે. વાહન ચાલકોએ ઉનાળાની ઋતુમાં પુરતો આરામ અને હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. આ ઉપરાંત પોતાના વાહનોમાં ટાયરની લાઈફસાઈકલ, એર ફિલ્ટર, એન્જિન જાળવણી, રેડિયેટર સફાઈ વગેરે બાબતોની કાળજી રાખવા ગુજરાત રોડ સેફટી ઓથોરીટી ઓથોરીટી ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ટાયરની તપાસ કરતી રહેવી જોઇએ

માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર રાજ્યના નાગરીકોએ વાહન માટે નિયત કરેલ હવાનું દબાણ બધા ટાયરમાં તપાસવું જોઈએ. નાગરીકોએ ગરમીની ઋતુમાં વાહનના ટાયર ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વાહનો નિયત કિલોમીટર અથવા વાહનોના ટાયરને વધુ વર્ષ પૂરા થઇ ગયા હોય તો વાહનોના ટાયર બદલવા જોઈએ.

એસી અને એર ફિલ્ટર સાફ કરવા અપીલ

વાહનોમાં નિયમિત પણે એન્જિન અને એ.સી. એર ફિલ્ટર્સ સાફ કરાવવા જોઈએ. વાહનોમાં એન્જિન ઓઇલ અને કુલન્ટ નિયત કિલોમીટર થઇ ગયા પછી બદલવા જોઈએ. રેડિયેટર તથા કુલિંગ અને એ.સી. સિસ્ટમ સાથે જોડાયેલા બધા પાઇપોની તપાસ વાહનના ટેક્નિશિયન પાસે કરાવવી જોઈએ.

પીવા લાયક પાણી સાથે રાખવું

નાગરીકોએ વાહન ચલાવતી વખતે વાહનમાં પીવાલાયક પાણી સાથે રાખવું જોઈએ તેમજ ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જાળવી રાખવું જોઇએ. વાહન ચાલકોએ એકથી સવા કલાક અથવા તેનાથી વધુ સમય સુધી વાહન ચલાવવાનું થાય તેવા સમયે મુસાફરી બંધ રાખી 10 મિનિટનો વિરામ કરવો જોઈએ.

બાળકો માટે પણ ખાસ માર્ગદર્શિકા

નાગરીકોએ ગરમીમાં બાળકોને એકલા કારમાં ન છોડવા જોઈએ. કારમાં વધુ ગરમીના કારણે બાળકોને હિટ સ્ટ્રોક આવે તો તે પ્રાણઘાતક સાબિત થઇ શકે છે. નાગરીકોએ ભારે ગરમીમાં વાહન જાહેર માર્ગ ઉપર પાર્કિંગ ન કરતાં સલામત જગ્યાએ છાયડામાં પાર્ક કરવું જોઈએ. નાગરીકોએ સી.એન.જી ગેસના વાહનોમાં ISI પ્રમાણિત અગ્નિ શામક ઉપકરણોનો રાખવા જોઈએ અને સમયાંતરે તેની તપાસ કરાવવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Guidelines for citizens in summer Guidelines for vehicles Guidelines for summer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ