મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય કટોકટીની વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી જેમાં ચાર પ્રસ્તાવ પાસ કરાયા છે.
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક
બેઠકમાં ચાર પ્રસ્તાવ પાસ કરાયા
શિવસેના ચૂંટણી પંચમાં જશે
બાળસાહેબના નામનો કોઈ ઉપયોગ ન કરી શકે-શિવસેના
બળવાખોરો સામે લેવાશે પગલાં
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે શિંદે પહેલા નાથ હતા અને હવે તેઓ ગુલામ બની ગયા છે. શિવસેના પ્રમુખ ઠાકરેએ કહ્યું કે બાળાસાહેબના નામનો ઉપયોગ બીજું કોઈ નહીં કરી શકે.
શિંદે પહેલા નાથ હતા અને હવે ગુલામ બન્યાં-ઠાકરે
આ બેઠકમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પહેલા શિંદે નાથ હતા પરંતુ તેઓ પોતાની જ પાર્ટી શિવસેના સાથે ભાજપમાં હાથ મિલાવીને પાર્ટીને છેતરી રહ્યા છે. તેથી હવે શિંદે નાથના ગુલામ બની ગયા છે. તેમણે શિંદેને પડકાર ફેંક્યો હતો કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ તેમની પાર્ટી અથવા જૂથનું નામ તેમના પિતાના નામ પર રાખે. ચૂંટણી સમયે તમારા પિતાના નામ પર વોટ માંગવા જાઓ, જોઈએ કે તમને કોણ વોટ આપે છે.
Mumbai | Maharashtra CM Uddhav Thackeray and state minister Aaditya Thackeray leave Shiv Sena Bhawan after the culmination of the party's national executive committee meeting.#MaharashtraPolitcalCrisispic.twitter.com/M8VSOysbVD
બેઠકમાં પાસ કરાયા ચાર પ્રસ્તાવ
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ચાર ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક પ્રસ્તાવ હેઠળ શિવસેના ચૂંટણી પંચ પાસે જશે. શિવસેના પંચને અપીલ કરશે કે બાળાસાહેબના નામનો ઉપયોગ બીજું કોઈ ન કરી શકે. અન્ય પ્રસ્તાવોમાં ઉદ્ધવ દ્વારા બળવાખોરો પર કાર્યવાહી કરવામાં આવશે. હિંદુ ધર્મ અને મરાઠી અસ્મિતાનો ઠરાવ પસાર થયો. છેલ્લા પ્રસ્તાવમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કયા ચાર પ્રસ્તાવ
(1) શિવસેના ચૂંટણી પંચમાં જશે
(2) બળવાખોરોની સામે કાર્યવાહી કરવામાં આવશે
(3) હિંદુ ધર્મ અને મરાઠી અસ્મિતાનો ઠરાવ
(4) ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસ
બાળાસાહેબ ઠાકરેનું નામ વટાવી ખાનાર લોકોની સામે કાનૂની પગલાં-સંજય રાઉત
બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યું કે તમામ નિર્ણય ઉદ્ધવ ઠાકરે લેશે. તેમણે કહ્યું પોતાની સ્વકેન્દ્રીત રાજનીતિ માટે બાળાસાહેબ ઠાકરેનું નામ વટાવી ખાનાર લોકોની સામે અમે કાનૂની પગલાં ભરીશું.
We'll take legal action against those who have used Balasaheb Thackeray's name for their self-centred politics. Those who have left can't use our patriarch's name: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/g5ipq5avcS
પાર્ટીને દગો આપનારની સામે પગલાં ભરાશે-રાઉતે કહ્યું
સંજય રાઉતે એવું પણ કહ્યું કે પાર્ટીને દગો આપનાર નેતાઓની સામે આકરા પગલાં ભરવામાં આવશે અને પાર્ટી છોડી જનાર લોકોની સામે પગલાં ભરવાનો ઉદ્ધવ ઠાકરેને અધિકાર અપાયો છે.
People will come to know what actions will be taken against those who have left the party by the evening. The work that CM Uddhav Thackeray has done is commendable. We will all fight the elections under his leadership: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/qJtB2MocWr