રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ભવ્ય સાઈનાથ નુ મંદિર બનાવી આપ્યું હતું તમામ ખર્ચો આ મંદિરનો લતા મંગેશકરે આપ્યો છે અહીં સાઈનાથની મૂર્તિ ખાસ લતા મંગેશકર દ્વારા શિરડીથી મોકલી હતી
લતાજીનો અમરેલી જિલાના મોરંગી સાથે નાતો
ભવ્ય સાઈનાથ મંદિર નિર્માણમાં મોટું યોગદાન
સ્થાનિક સ્કૂલમાં ગત વર્ષે સવા લાખ સુધીનું દાન
મહાન ગાયિકા લતા મંગેશકરની અચાનક ચીર વિદાય થતા સંગીત પ્રેમીઓમાં ભારે શોક જોવા મળી રહ્યો છે લતા મંગેશકરનું કનેક્શન ક્યાંકને ક્યાંક અમરેલી સાથે કાયમ જોવા મળ્યું હતું લતા મંગેશકરના અંગત મદદનીશ મહેશ ભાઈ રાઠોડ જે રાજુલા તાલુકાના મોરંગી ગામના હતા અને તેઓ લતા દીદીના અંગત મદદનીશ છે. જે હાલ મુંબઈ લતા મંગેશકર સાથે રહેતા જેથી લતા મંગેશકર અમરેલી જિલ્લાથી ખૂબ વાકેફ હતા. અહીં તેમણેઅને આ મૂર્તિ ના સ્થાપન વખતે સ્પેશ્યલ શિરડીથી શિરડી મંદિર ના પુજારી અહીં આવ્યા હતા અને આ મૂર્તિનું સ્થાપન કરાયેલું
લતા મંગેશકર ને મોરંગીથી વિશેષ લગાવ હતો અહીં એક સ્થાનિક સ્કૂલમાં તેઓએ સવા લાખ સુધીનું દાન ગત વર્ષે કરેલું જે દર્શાવે છે કે લતા મંગેશકર ને રાજુલાના મોરંગીથી વિશેષ લગાવ હતો.
અહીં પાંચથી છ વર્ષ પહેલા ભવ્ય સાઈ મંદિર નું નિર્માણ લતા મંગેશકર દ્વારા ખાસ કરવામાં આવેલું આસપાસના વિસ્તારમાં સાઈ ભક્તો ખૂબ હતા જેથી લતા મંગેશકરના ધ્યાને આવતા તેમણે લાખોના ખર્ચે ગામમાં મંદિર બનાવી આપેલું અને વિશેષ અહિં સાઈની મૂર્તિ છેક શિરડીથી લાવવામાં આવેલી અને તેની પ્રતિષ્ઠા માટે શિરડી મંદિર ના પૂજારીને ખાસ બોલાવવામાં આવેલા ત્યારે લતા મંગેશકર દ્વારા બનાવવામાં આવેલ સાઈ મંદિર હાલ ઊભું છે અમરેલી જિલ્લા ભરમાંથી અહીં મંદિરમાં લોકો નમન કરવા આવે છે ત્યારે ચોક્કસથી કહી શકાય લતા મંગેશકરની યાદ હાલ અમરેલી જિલ્લામાં મોરંગી માં કાયમ રહેશે અને લોકો ખાસ કરી રાજુલા અને અમરેલીના લોકો લતા મંગેશકરને મંદિર માટે પણ કાયમ ઋણી રહેશે.
લતા મંગેશકર આપણી વચ્ચે નથી ત્યારે તેમના દ્વારા નાનકડા ગામમાં ભવ્ય નિર્માણ પામેલું મંદિર યુગો સુધી લતા મંગેશકરને યાદ કરશે