આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે સોમવારે મોદી સરકારને સવાલ કર્યો કે જ્યારે તેમણે બાંગ્લાદેશને આ ભરોસો અપાવ્યો કે NRC ની પ્રક્રિયાની અસર પડોશી દેશ પર નહીં થાય તો હવે રાષ્ટ્રીય નાગરિક નોંધણીની બહાર રહેનારા 19 લાખ લોકો શું કરશે ? આ ટ્વીટ ચિદમ્બરમના પરિવારજનોએ તેમના વતી કર્યું હતું.
પી. ચિદમ્બરમનો મોદી સરકારને સવાલ
NRC બહાર રહેનારા 19 લાખ ભારતીયોનું શું ?
નોંધનીય છે કે, પૂર્વ નાણા મંત્રીએ કહ્યું કે, જો NRC કાયકીય પ્રક્રિયા છે તો કાયદાની પ્રક્રિયા મુજબ તે 19 લાખ લોકોનું શું થશે જેમને ગેર નાગરિક જાહેર કરવામાં આવ્યા છે. તેમણે સવાલ કર્યો કે, જો બાંગ્લાદેશ ભરોસો અપાવવામાં આવ્યો છે કે, NRC પ્રક્રિયાની અસર બાંગ્લાદેશ પર નહીં થાય તો ભારત સરકાર 19 લાખ લોકોનું શું કરશે ? સાથે જ ચિદમ્બરમે કહ્યું- અમે મહાત્મા ગાંધીની માનવતાના સિદ્ધાંતનો જશ્ન મનાવી રહ્યા છીએ, એવામાં અમે આ સવાલનો જવાબ આપવા માટે જવાબદાર છીએ.
I have asked my family to tweet on my behalf the following :
If NRC is a 'legal process', how will the legal process deal with the 19 lakh persons who have been declared non-citizens?
આપને જણાવી દઈએ કે, બાંગ્લાદેશે શનિવારે કહ્યું હતું કે જોકે ભારત કહે છે કે રાષ્ટ્રીય નાગરિક નોંધણી દેશની આંતરિક બાબત છે, પરંતુ તે આસામમાં તેનાથી સંબંધિત વિકાસની દેખરેખ રાખે છે. બાંગ્લાદેશના વિદેશ સચિવ શહિદુલ હકે કહ્યું કે વડા પ્રધાન શેખ હસીનાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એનઆરસીની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
If Bangladesh has been assured that the NRC process will not affect Bangladesh, how will the Indian state deal with the 19 lakh persons?
પત્રકાર પરિષદમાં હકે કહ્યું, અમને કહેવામાં આવ્યું છે કે આ ભારતનો આંતરિક મુદ્દો છે. અમારા સંબંધો હજી પણ તેની ઉચ્ચતમ ઉંચાઇએ છે. પરંતુ તે જ સમયે અમે અમારી આંખો ખુલ્લી રાખી રહ્યા છીએ. 'લાંબા સમયથી બાકી રહેલા બીબીઆઇએન મોટર વ્હીકલ એગ્રીમેન્ટ અંગે હકે સંકેત આપ્યો હતો કે ભૂટાન તેનો ભાગ ન બને તો ભારત, નેપાળ અને બાંગ્લાદેશ તેમાં હસ્તાક્ષર કરશે. બાંગ્લાદેશ - ભૂટાન - ભારત - નેપાળ (બીબીઆઇએન) મોટર વાહન કરારનો હેતુ ચાર દેશો વચ્ચે પરિવહન સુધારવાનું છે.
બાંગ્લાદેશને કોઇ ચિંતા નથી : હક
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય પક્ષે હસીનાને કહ્યું છે કે, એનઆરસીનું પ્રકાશન કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવતી પ્રક્રિયા છે અને તે હજુ નક્કી થઈ શકી નથી. હકનું કહેવું છે કે બાંગ્લાદેશને હાલમાં તેની ચિંતા નથી.